અકસ્માત બાદ 'અભિરક્ષક' બનીને વહારે આવશે પોલીસ, અમદાવાદ અને સુરતમાં ખાસ સાધનો સાથેના વાહન તહેનાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Abhirakshak Vehicle: ગુજરાતમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાની અટકાવી શકાય એ મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વાહન ખરીદ્યાં છે. જેને એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તહેનાત કરાશે.
જાણો અભિરક્ષક વાહનની ખાસિયત
અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તત્કાલિક રેસ્પોન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે, જ્યારે માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ વાહનની અંદર ફસાઈ ગઈ હોય.
What's Your Reaction?






