Zalawad:નવનિર્માણ પામી રહેલ કાંઝ-છનિયાર રોડની કામગીરી અધૂરી રખાતાં રાહદારીઓ પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેત્રોજ તાલુકાના અંતરિયાળ કાંઝ ગામથી છનીયાર સુધીનો માર્ગ નવો બનાવવામાં આવ્યો છે પરંતુ રેલવે ફાટકની બંને બાજુ અને સાંથલિયા ગોગા મહારાજના મંદિર નજીક બંને સ્થળ પર માર્ગનું કામ અધુરુ છોડવામાં આવ્યું છે. હાલ ચોમાસાની સીઝનમાં બંને સ્થળો પરથી પસાર થતાં વાહન ચાલકો, રાહદારીઓ અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કાંઝથી રેલવે ફાટક થઈ સાંથલિયા ગોગા મહારાજના મંદિર થઈ છનિયાર સુધીનો માર્ગ નવો બનાવવામાં આવ્યો છે. છનિયાર ગ્રામજનોને કાંઝ, રામપુરા, દેકાવાડા, કે દેત્રોજ જવા માટે ટૂંકા માર્ગની સારી સુવિધા મળતી થઈ છે. તેવી જ રીતે કાંઝના ખેડૂતો અને ગ્રામજનોને છનિયાર તરફ તેમજ કાંઝ ગામની સીમ આવેલી હોય ખેડૂતોને ખેતરમાં જવા માટે પણ માર્ગની સારી સુવિધા મળતી થઈ છે. પરંતુ બે સ્થળે અધૂરા રહેલા માર્ગના કામથી ખેડૂતો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કાંઝ નજીક આવેલી રેલવે ફાટકની બંને સાઈડોમાં માર્ગના કામ અધૂરા છે. તેવી જ રીતે સાંથલીયા ગોગા મહારાજના મંદિર નજીક માર્ગ નું કામ અધૂરું છે. જે સ્થળે માર્ગ નું કામ અધૂરું છે તે સ્થળ નજીક ચોમાસાના પાણીના નિકાલ માટેની ગટર આવેલી છે. ગટરની બાજુમાં રોડનું કામ અધૂરું હોય હાલ ચોમાસુ અને વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે વધુ વરસાદ થતાં ખેડૂતોના ખેતરોમાં ચોમાસુ પાણી ભરાઈ શકે છે. 100 વીઘા થી વધુ જમીનમાં ચોમાસુ પાણી ફરી વળે તો ખેડૂતોને ચોમાસુ પાક પર સીધી અસર પડી શકે છે. કાંઝ ગામના ખેડૂતો આ માર્ગનું અધૂરું રહેલું કામ તાત્કાલિક પૂર્ણ કરવા માંગ કરી રહ્યા છે.
What's Your Reaction?






