Vadodara:સંગમ ચાર રસ્તા નજીક 'કબ્રસ્તાન' પર ગેરકાયદે વસાહતનું નિર્માણ

Jun 7, 2025 - 05:30
Vadodara:સંગમ ચાર રસ્તા નજીક 'કબ્રસ્તાન' પર ગેરકાયદે વસાહતનું નિર્માણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના સંગમ ચાર રસ્તા નજીક હરણી રોડ પર કબ્રસ્તાન નામે નીમ કરેલી જમીન પર પાકા મકાનો અને ઝૂપડાઓની આખી ગેરકાયદે વસાહત ઊભી કરી દેવાઈ છે અને સરકારી જમીન પર કબજો કરી નાખ્યો છે, પરંતુ મામલતદાર સહિત કલેક્ટર કચેરીનુ તંત્ર આંખો પર ગાંધારી પાટા બાંધીને બેસી રહ્યું છે. સરકારી જમીન પચાવી પાડવાની કોશિશ કરનારા આવા તત્વો સામે કેમ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધતા નથી ? કલેક્ટર કેમ સુઓમોટો દાખલ કરતા નથી ? તે ચર્ચાનો વિષય બન્યો છે.

સંગમ ચાર રસ્તાથી રૂપમ સિનેમા જવાના હરણી રોડ પર વૃંદાવન ટાઉનશીપ પાસે ચંદ્રગુપ્ત કો.ઓ. હા.સોસાયટીની બાજુમાં જ મોજે વડોદરા કસ્બાની રેવન્યુ સર્વે નં.812વાળી 11,534 ચો.મી. જેટલુ ક્ષેત્રફળ ધરાવતી વિશાળ જમીન છે. જે જમીન સરકારે કબ્રસ્તાન માટે નીમ કરી હતી, પરંતુ ત્યાં કોઈ પણ કબ્રસ્તાન નથી, પરંતુ ગેરકાયદે દબાણોની ભરમાર છે.

છેલ્લા 15 વર્ષમાં ત્યાં કાચા-પાકા મકાનોના દબાણો ઊભા કરી દેવામાં આવ્યાં છે. ત્યાં એક નાનુ ધાર્મિક દબાણ હતુ, તે પણ સમય જતા મોટુ કરી દેવાયુ છે. તેમજ પાકા મકાનો ગેરકાયદેસર રીતે બાંધી દેવાયેલા છે. ગ્રાઉન્ડ ફ્લોર અને તેની પર એક માળ ધરાવતા હોય તેવા 8 થી 10 જેટલા પાકા મકાનો ઊભા કરી દેવાયેલા છે. તેમજ 200 જેટલા ઝૂપડાઓ બાંધીને આખી વસાહત જ ઊભી કરી દેવાઈ છે. આટલી મોટી કરોડો રૂપિયાની સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામો કરીને તે જમીન પર કબજો જમાવી દેવાયો છે. કબ્રસ્તાન માટે નીમ કરેલી આ સરકારી જમીન પર દબાણો ન થાય તે જોવાની જવાબદારી મામલતદારની છે, પરંતુ મામલતદાર એસી ઓફિસ છોડીને બહાર નીકળે તો દબાણો દેખાય.

સ્થાનિક લોકોએ આ બાબતે સ્થાનિક કોર્પોરેટરોથી માંડીને ધારાસભ્યો, સાંસદ, મ્યુનિ.કમિશનર અને શહેર પોલીસ સુધી રજૂઆતો કરેલી છે, પરંતુ કોઈ પગલા જ ભરાતા નથી. કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન પર આટલુ મોટુ દબાણ થઈ ગયુ છે અને તે જમીનને પચાવી પાડવાની કોશિશ કરાઈ રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીનુ તંત્ર કરે છે શું ? સરકારી જમીન પણ સાચવવાની અધિકારીઓની ત્રેવડ નથી ? સરકારી જમીનને પચાવી પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીનુ તંત્ર કેમ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાવતુ નથી ? તેવા સવાલો ઉઠે તે સ્વાભાવિક છે.

રોજ વહેલી સવારે 7 ભુંગળામાંથી પોકારાતી બાંગથી ચંદ્રગુપ્ત સોસાયટીના રહીશોની ઊંઘ હરામ

આ સરકારી જમીન ચંદ્રગુપ્ત સોસાયટીને અડીને જ છે. જ્યાં ગેરકાયદેસર કબજો જમાવીને રહેતા લોકો લઘુમતિ કોમના હોવાથી ચંદ્રગુપ્ત સોસાયટી તેમનાથી ઘેરાઈ ગઈ છે. તેથી આ સોસાયટીના લોકોને સતત અસલામતિનો ભય રહે છે. જેથી સોસાયટી તરફથી શહેર પોલીસને સીસીટીવી કેમેરા લગાવી આપવા માટેની રજૂઆત પણ કરેલી છે. તેમજ તેમાં તેમણે એવુ પણ કહ્યું કે, સોસાયટીના ગેટની બહાર જ અસમાજીક તત્વોને અડ્ડો રહે છે.મહિલાઓની મજાક મશ્કરી કરાય છે. તેવી રજૂઆત કરી હતી.ઉપરાંત આ વિસ્તારમાં બનાવાયેલી મસ્જીદમાં 7 ભૂગળા લગાવાયા છે. સવારના 5 વાગ્યાથી લઈને 7 સુધી પાંચ વખતની બાંગથી આ સોસાયટીના રહિશોનુ ઉંઘ પણ હરામ થઈ ગઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0