Vadodaraમાં શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું, આત્મવિલોપનની આપી ચીમકી

Jun 9, 2025 - 15:00
Vadodaraમાં શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું, આત્મવિલોપનની આપી ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં શિક્ષણ સમિતિની સરકારી શાળાઓમાં એડમિશન માટે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યાં શિક્ષણ સમિતિના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતર્યા છે. શહેરમાં શિક્ષણ સમિતિના ક્લાસ 4 કર્મચારીઓ પોતાના પ્રશ્નોના નિરાકરણને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કર્મચારીઓ 5 દિવસ થી હડતાળ પર છે. પોતાની માગો પૂર્ણ થયા માટે આંદોલનકારીઓ વધુ ઉગ્ર બન્યા છે.

શહેરમાં હડતાળ પર ઉતરેલા વર્ગ 4ના કર્મચારીઓનું કહેવું છે કે જ્યાંસુધી અમારી માગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહી. 5 દિવસથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને સમજાવવા પ્રયાસ કરવામાં આવ્યા. છતાં પણ આંદોલન કરી રહેલા કર્મીઓ હવે સમજાવટના મૂડમાં નથી. પાંચ દિવસ બાદ પણ શિક્ષણ સમિતિના કલાસ 4ના 570 કર્મીઓની હડતાળ યથાવત છે. દરમિયાન પ્રશ્નોને લઈને નિર્ણય લેવા ફરી એક વખત મ્યુનિસિપલ કમિશનરે કર્મચારીઓને મળવા આમન્ત્રણ આપ્યું છે.

આત્મવિલોપનની આપી ચીમકી

આંદોલનકારી અગ્રણીનું કહેવું છે કે લેબર કોર્ટ દ્વારા અમને કાયમી કરવા આદેશ અપાયો છે. અને લેબર કોર્ટના આ નિર્ણય સામે પાલિકા હાઇકોર્ટમાં ગઇ છે. અમે અમારું એરીયરસ માફ કરવા તૈયાર છે પરંતુ અમને કાયમી નહિ કરાય ત્યાં સુધી અમે અહીંથી ઉઠીશું નહિ. અમે આ મામલે અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી એટલે આખરે અમારે આંદોલનનું શ્સત્ર ઉગામવું પડયું. અગાઉ નેતાઓએ અમને પડતર પ્રશ્નોનનો ઉકેલ આવી જશે તેવો વિશ્વાસ અપાવી વિશ્વાઘાત કર્યો હતો. એટલે હવે અમને કોઈ નેતા ઉપર પણ ભરોસો નથી. 47 વર્ષથી અમે કાયમી થવાની આશાએ કામ કર્યું. જો પાલિકા કે શિક્ષણ સમિતિના પાડશે તો અમે આત્મ વિલોપનની મંજૂરી માંગીશું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0