Surendranagar: લાઈબ્રેરીનો સમય વહેલો કરાયો, વાઈફાઈની સુવિધા કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશ્નરે શહેરમાં ટાવર પાસે આવેલ મનપા સંચાલીત લાયબ્રેરીની મંગળવારે સવારે મુલાકાત લીધી હતી. જેમાં લાયબ્રેરીમાં રહેલ પુસ્તકોનું રજીસ્ટર તપાસ્યુ હતુ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છાત્રોની માંગ મુજબ સમય વહેલો કરી આપ્યો હતો અને વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા ખાતરી પણ આપી હતી.
સુરેન્દ્રનગર શહેરના ટાવર પાસે મનપા સંચાલિત જવાહરલાલ નહેરૂ પુસ્તકાલય આવેલુ છે. અહીં હાલ અનેક વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અર્થે વાંચન કરતા હોય છે. ત્યારે મંગળવારે સવારે અચાનક મનપાના કમિશ્નર નવનાથ ગવ્હાણે લાયબ્રેરીની મુલાકાતે પહોંચ્યા હતા. સૌપ્રથમ તેઓએ લાયબ્રેરીમાં ઉપલબ્ધ પુસ્તકો ચકાસ્યા હતા. જયારે રજીસ્ટર પણ ચેક કર્યુ હતુ. ત્યારબાદ લાયબ્રેરીમાં કોઈ સમસ્યા વિશે છાત્રોને પુછતા તેઓએ લાયબ્રેરી ખુલવાનો સમય સવારના 9ના બદલે સવારના 7 કરવાની માંગ કરતા જ કમિશ્નરે સમય સવારે 7 વાગ્યાનો કરી દેવા આદેશ કર્યો હતો. બીજી તરફ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કોઈ પુસ્તકોની જરૂર હોય તો તેની યાદી આપવા અને આ પુસ્તકો ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી હતી. બીજી તરફ વિવિધ પરીક્ષાની તૈયારી કરતા છાત્રોને કમિશ્નરે માર્ગદર્શન આપ્યુ હતુ અને વહેલી તકે લાયબ્રેરીમાં વાઈફાઈ ઉપલબ્ધ કરાવવા પણ જણાવ્યુ હતુ.
What's Your Reaction?






