Surendranagar: પાટડી નગરપાલિકા દ્વારા તાલુકા સેવા સદન ખાતે યોજાશે ”સેવા સેતુ કાર્યક્રમ”

રાજય સરકારશ્રી દ્રારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા પ્રજાની લાગણી, માગણી અને અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે દસમા તબકકાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નગરપાલિકા દ્વારા 8 ઓકટોબરના રોજ તાલુકા સેવા સદન, પાટડી, સુરેન્દ્રનગર ખાતે સવારે 09:00 થી સાંજે 05:00 કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં આસપાસના 03 વોર્ડમાં સમાવિષ્ટ નાગરિકો લાભ મેળવી શકશે.કઇ કઇ સેવાઓનો મળશે લાભ? આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક/જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી, આઘારકાર્ડને લગતી કામગીરી, PMJAY માં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઇ અરજીઓ તથા વિનામૂલ્યે 7/12, 8-અ ની નકલ, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંઘણી અને મિલ્કત આકારણીના ઉતારા, પી.એમ.સમ્માનનિધી લાભાર્થીનું E-KYC, ઘરેલુ નવા વીજ જોડાણ, બેંકીંગને લગતી સેવાઓ સહીત જુદા જુદા 13 જેટલા વિભાગોની જનકલ્યાણકારી એવી 55 જેટલી સેવાઓના લાભો ઘરઆંગણે મેળવી શકશે. છેલ્લા નવ વર્ષથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં સેવા સેતુના દસમાં તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ખાતે ૧૯ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, સૂઇગામ તાલુકાના જેલાણા ખાતે ૧૧ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, ધાનેરા (ગ્રામ્ય)ના રવિયા ખાતે ૨૭ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, દાંતીવાડા તાલુકાના જેગોલ ખાતે ૧૯ ગામનો, ડીસા તાલુકાના જૂની ભીલડી ખાતે ૪૧ ગામનો, કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે ૨૦ ગામનો, વાવ તાલુકાના બુકણા ખાતે ૨૬ ગામનો, થરાદ તાલુકાના આસોદર ખાતે ૪૬ ગામનો, દિયોદર તાલુકાના પાલડી ખાતે ૨૧ ગામનો, વડગામ તાલુકાના પિલુચા ખાતે ૪૨ ગામનો, લાખણી તાલુકાના મોટા કપરા ખાતે ૧૮ ગામનો, દાંતા તાલુકાના મંડાલી ખાતે ૭૩ ગામનો, અમીરગઢ તાલુકાના જેથી ખાતે ૨૪ ગામનો અને પાલનપુર (ગ્રામ્ય)ના વેડંચા ખાતે ૩૭ ગામોના સમાવેશ સાથે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

Surendranagar: પાટડી નગરપાલિકા દ્વારા તાલુકા સેવા સદન ખાતે યોજાશે ”સેવા સેતુ કાર્યક્રમ”

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજય સરકારશ્રી દ્રારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા પ્રજાની લાગણી, માગણી અને અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે દસમા તબકકાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નગરપાલિકા દ્વારા 8 ઓકટોબરના રોજ તાલુકા સેવા સદન, પાટડી, સુરેન્દ્રનગર ખાતે સવારે 09:00 થી સાંજે 05:00 કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં આસપાસના 03 વોર્ડમાં સમાવિષ્ટ નાગરિકો લાભ મેળવી શકશે.

કઇ કઇ સેવાઓનો મળશે લાભ?

આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક/જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી, આઘારકાર્ડને લગતી કામગીરી, PMJAY માં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઇ અરજીઓ તથા વિનામૂલ્યે 7/12, 8-અ ની નકલ, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંઘણી અને મિલ્કત આકારણીના ઉતારા, પી.એમ.સમ્માનનિધી લાભાર્થીનું E-KYC, ઘરેલુ નવા વીજ જોડાણ, બેંકીંગને લગતી સેવાઓ સહીત જુદા જુદા 13 જેટલા વિભાગોની જનકલ્યાણકારી એવી 55 જેટલી સેવાઓના લાભો ઘરઆંગણે મેળવી શકશે.

છેલ્લા નવ વર્ષથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં સેવા સેતુના દસમાં તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ખાતે ૧૯ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, સૂઇગામ તાલુકાના જેલાણા ખાતે ૧૧ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, ધાનેરા (ગ્રામ્ય)ના રવિયા ખાતે ૨૭ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, દાંતીવાડા તાલુકાના જેગોલ ખાતે ૧૯ ગામનો, ડીસા તાલુકાના જૂની ભીલડી ખાતે ૪૧ ગામનો, કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે ૨૦ ગામનો, વાવ તાલુકાના બુકણા ખાતે ૨૬ ગામનો, થરાદ તાલુકાના આસોદર ખાતે ૪૬ ગામનો, દિયોદર તાલુકાના પાલડી ખાતે ૨૧ ગામનો, વડગામ તાલુકાના પિલુચા ખાતે ૪૨ ગામનો, લાખણી તાલુકાના મોટા કપરા ખાતે ૧૮ ગામનો, દાંતા તાલુકાના મંડાલી ખાતે ૭૩ ગામનો, અમીરગઢ તાલુકાના જેથી ખાતે ૨૪ ગામનો અને પાલનપુર (ગ્રામ્ય)ના વેડંચા ખાતે ૩૭ ગામોના સમાવેશ સાથે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.