Surendranagar: ઝાલાવાડમાં તા. 21મી જૂનથી ફરી એક સપ્તાહ આકાશી વહાલનો યોગ

Jun 21, 2025 - 05:30
Surendranagar: ઝાલાવાડમાં તા. 21મી જૂનથી ફરી એક સપ્તાહ આકાશી વહાલનો યોગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં થોડા દીવસ અગાઉ આવેલ વરસાદ બાદ હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગે તા. 21 જુનથી ફરી એકાદ અઠવાડીયુ જિલ્લામાં વરસાદ વરસશે તેવી આગાહી વ્યકત કરી છે. શુક્રવારે જિલ્લામાં તાપમાનનો મહત્તમ પારો 32.3 ડીગ્રીએ પહોંચ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત તા. 16-17 જુનના રોજ સાર્વત્રીક વરસાદ બાદ હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે ફરી તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે. શુક્રવારે જિલ્લામાં મહત્તમ તાપમાન 32.3 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 27.6 ડીગ્રી નોંધાયુ હતુ. ત્યારે જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર એ છે કે, જિલ્લામાં ફરી મેઘરાજા મહેમાન બનનાર છે. ઈન્ડીયન મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટના જણાવાયા મુજબ તા. 21 જુનથી એકાદ અઠવાડીયુ ફરી વરસાદ ઝાલાવાડમાં વરસી શકે તેમ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદ તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ વરસશે તેવુ જણાવાયુ છે. ત્યારે અગાઉ પડેલા વરસાદ બાદ વરાપ નીકળતા ખેડુતોએ પોતાના ખેતરમાં બીયારણ સોંપી દીધા છે. ત્યારે હવે આવનાર વરસાદ પણ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબીત થશે તેવુ લાગી રહ્યુ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0