Surendranagar: વઢવાણના યુવાન ઉપર અગાઉના ઝઘડાની અદાવતમાં પિતા અને બે પુત્રનો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વઢવાણમાં રહેતા યુવાનના મિત્રને બે માસ પહેલા ઝઘડો થયો હતો. જેમાં યુવાન મિત્ર સાથે રહ્યાનું મનદુઃખ રાખીને પિતા અને બે પુત્રોએ માર માર્યાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે નોંધાઈ છે.
વઢવાણના નવા દરવાજા બહાર વાડી પ્લોટમાં રહેતા 40 વર્ષીય અમીત ઉર્ફે રોબટ શાંતીલાલ મકવાણા વઢવાણની ન્યુ એકલવ્ય સ્કૂલમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. આશરે 2 માસ પહેલા તેમના મિત્ર અશ્વીનભાઈ જોષીની દિકરીની બહેનપણી સાથે બ્રાહ્મણવાસમાં રહેતા રવિ મોહનભાઈ પરમારને પ્રેમ સંબંધ હોઈ અશ્વીનભાઈ અને રવીને બોલાચાલી થઈ હતી. આ સમયે અમીતભાઈ અશ્વીનભાઈની સાથે હતા. બાદમાં અશ્વીનભાઈ અને રવિ બન્ને વચ્ચે સમાધાન થયુ હતુ. પરંતુ રવિ અને અમીતભાઈને મનદુઃખ થયુ હતુ. ગત તા. 25મી જુને રાત્રે વણકરવાસમાં પસાર થતા અમીતભાઈને રસ્તામાં રવી મળ્યો હતો. અને તેણે અપશબ્દો કહી તારે મારી સાથે ઝઘડો કરવો તેમ કહી રસ્તામાં પડેલ કાચની બોટલ લઈ અમીતભાઈના માથે મારી હતી. અને પોતાના ઘર તરફ ફરાર થઈ ગયો હતો. માથામાં લોહી નીકળતી હાલતમાં અમીતભાઈ તેના પિતા મોહનભાઈને કહેવા તેમના ઘરે જતા પિતા મોહનભાઈ તેજાભાઈ મકવાણા અને રવીનો ભાઈ જયેશ મોહનભાઈ પરમાર બોલાચાલી કરવા લાગ્યા હતા. અને તારી આટલી હિંમત કે તું રવિને મારવા ઘર પાસે આવેશ તેમ કહી બન્નેએ પકડી રાખ્યો હતો. અને રવિએ હથોડી વડે માર માર્યો હતો. જેમાં અમીતભાઈને સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાતા તેઓને માથામાં ટાંકા આવ્યા હતા. આ અંગે વઢવાણ પોલીસ મથકે પિતા અને બે પુત્રો સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ વનરાજસીંહ પરમાર ચલાવી રહ્યા છે.
What's Your Reaction?






