Surendranagar: રામનગર મારામારીના બનાવમાં યોગ્ય તપાસની માંગ

Jun 4, 2025 - 02:30
Surendranagar: રામનગર મારામારીના બનાવમાં યોગ્ય તપાસની માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના રામનગરમાં રહેતા રિક્ષા ચાલક ગત તા. 28-5ના રોજ રાત્રે રિક્ષા લઈ તેઓના ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં એક બકડીયુ રિક્ષાના આગળના વ્હીલ સાથે અડી જવા જેવી સામાન્ય બાબતે 4 શખ્સોએ રિક્ષા ચાલક અને તેમના ભત્રીજાને ઢીકાપાટુનો માર મારી ભત્રીજા પર તલવાર વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં યોગ્ય તપાસની માંગ સાથે કલેકટર કચેરીમાં લેખિતમાં રજૂઆત કરાઈ છે.

સુરેન્દ્રનગરના રામનગરમાં રહેતા 19 વર્ષીય જોગેશભાઈ અશોકભાઈ પાટડીયા રિક્ષા ડ્રાઈવીંગ કરે છે. તા. 28-5ના રોજ રાત્રે તેઓ રિક્ષા લઈને ઘરે જતા હતા. ત્યારે રામનગરમાં પહોંચતા મેરૂ નાથાભાઈ બલદાણીયાના ઘર પાસેથી પસાર થતા તેમના ઘર પાસે રસ્તામાં પડેલ બકડીયુ રિક્ષાના આગળના વ્હીલને અડી ગયુ હતુ. આથી મેરૂ બોલાચાલી કરવા લાગ્યો હતો. આ સમયે જોગેશભાઈનો ભત્રીજો દશરથ ઘનશ્યામભાઈ ગેલડીયા આવી જતા મેરૂએ બન્ને સાથે બોલાચાલી કરી હતી. જેમાં મેરૂ બલદાણીયા તેની સાથે હરેશ ઉર્ફે કટી ચુનીભાઈ વીજુડા, ધવલ હરેશભાઈ વીજુડા અને હર્ષદ મનુભાઈ ખાવડીયાને લઈને આવ્યો હતો. અને અમારી સામે કેમ થયા તેમ કહી કાકા-ભત્રીજાને ઢીકાપાટુનો માર મારી તલવાર વડે દશરથભાઈ ઉપર હુમલો કર્યો હતો. જેમાં જોગેશભાઈને સામાન્ય ઈજાઓ થઈ હતી. પરંતુ દશરથભાઈને માથામાં વધુ ઈજા થતા સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા.

આ બનાવમાં યોગ્ય તપાસની માંગ, એફઆઈઆરમાં હત્યાની કોશિષની કલમો લગાવવા સહિતની માંગણીઓ સાથે દશરથભાઈના પરિવારજનો અને રોયલ ક્ષત્રીય ઠાકોર સેનાના કાર્યકરો જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. અને આવેદન આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0