Surendranagar: બાવળી ગામના યુવક-યુવતીને પ્રેમલગ્ન બાદ ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધ્રાંગધ્રાના બાવળી ગામે રહેતા યુવક-યુવતીએ ગત ફેબ્રુઆરીમાં પ્રેમલગ્ન કર્યા હતા. બાદમાં તેઓ રાજચરાડી ગામે રહેતા હતા. ત્યારે યુવતીના પિયરપક્ષના 4 સભ્યોએ જાનથી મારવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બાવળી ગામે રહેતા હીનાબેન ગઢવીને ગામના નીકુલ ચતુરભાઈ સુરાણી સાથે આઠેક વર્ષથી પ્રેમ સબંધ હતો. ગત તા. 7-2-25ના રોજ બન્નેએ અમદાવાદના શાહપુરમાં આવેલ મેરેજ બ્યુરોમાં મેરેજ કર્યા હતા. અને તા. 12-5ના રોજ બન્નેએ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં જઈ લગ્ન રજીસ્ટ્રાર પાસે નોંધણી કરાવી હતી. આ જ દિવસે બન્ને પોલીસ મથકે હાજર પણ થયા હતા. અને સાથે રહેવાની ઈચ્છા વ્યકત કરી હતી. બન્ને એક જ ગામના હોય અને સાથે રહેવાથી ઝઘડો થાય તેમ હોઈ બન્ને રાજચરાડીમાં હિતેશભાઈ પટેલના ઘરે રોકાયા હતા. ગત તા. 18મીએ હીનાબેનનો ભાઈ અમીત માણસુરભાઈ ગઢવી, ગામનો અજીત વીહાભાઈ ગઢવી, બનેવી મોરબી રહેતા મનુ બાબભાઈ ગઢવી અને ફઈબાનો દિકરો જીત લાખાભાઈ લાંબા હીતેશભાઈના ઘરે આવ્યા હતા. અને અપશબ્દો કહીને મારી બેનને બહાર કાઢો કહી બન્નેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમયે હિતેશભાઈ વચ્ચે પડતા તેઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જયારે હીનાબેન અને નીકુલભાઈ પાછળના દરવાજેથી જતા રહ્યા હતા. ત્યારે હજુ પણ હીનાબેનના પિયરપક્ષનાઓ માર મારશે તેવી બીક લાગતા તેઓએ ચારેય સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ એચસી કરશનભાઈ લોહ ચલાવી રહ્યા છે.
What's Your Reaction?






