Savarkundala: મોટા ઝીંઝુડામાં કારેલાનું શાક ખાધા બાદ 30 બાળકોને ફૂડ પોઇઝનિંગ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા શિવ કુમારી આશ્રમના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. 110 વિદ્યાર્થીમાંથી 30 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. આશ્રમના સંચાલકના જણાવ્યા મુજબ કારેલાનું શાક ખાધા બાદ આ અસર થઈ છે. 20 જેટલા બાળકોને મોટા ઝીંઝુડા પીએચસી સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ત્રણ બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. મોટા ઝીંઝુડા પીએચસી સેન્ટરનો સ્ટાફ આશ્રમ ખાતે જઈ નોર્મલ અસરવાળા બાળકોને સારવાર આપી રહ્યો છે. ફૂડ પોઈઝનિંગ શું છે? ફૂડ પોઈઝનિંગ એ ખોરાકજન્ય રોગનો એક પ્રકાર છે. જો કોઈ વ્યક્તિ દૂષિત અથવા ઝેરી ખોરાક ખાય છે, તો તેને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. ફૂડ પોઇઝનિંગના કિસ્સામાં, ઊબકા, ઊલટી અને ઝાડા જેવા લક્ષણો જોઇ શકાય છે. ફૂડ પોઇઝનિંગના કેસ કેમ વધી રહ્યા છે? આપણું શરીર અને ખોરાક બંને મૂળભૂત તાપમાને યોગ્ય રીતે કાર્ય કરે છે. બેક્ટેરિયાના વિકાસ અને અસ્તિત્વ માટે ઉનાળાની ઋતુ સૌથી યોગ્ય છે. કહેવાનો મતલબ એ છે કે ઊંચા તાપમાનને કારણે ખોરાક ઝડપથી બગડે છે અને તેમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે. તેમજ ગરમીના કારણે આપણા શરીરની ખોરાક પચાવવાની અને ઝેરી તત્ત્વો સામે લડવાની ક્ષમતા પણ નબળી પડી જાય છે. વધુ ખોરાક ખાધા પછી પણ ઠંડા વાતાવરણમાં સરળતાથી પચી શકે છે, પરંતુ જો તાપમાન 45થી ઉપર હોય, તો બે રોટલી ખાવાથી પણ અપચો થઈ શકે છે. ફૂડ પોઇઝનિંગનું જોખમ કોને વધારે છે? ફૂડ પોઈઝનિંગ તંદુરસ્ત વ્યક્તિને પણ થઈ શકે છે. હા, એ વાત સાચી છે કે નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વધુ જોખમ હોય છે. નાના બાળકોને ફૂડ પોઈઝનિંગનું જોખમ છે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફૂડ પોઈઝનિંગનું સૌથી વધુ જોખમ હોય છે. ઇન્ફેક્શનને કારણે મૃત્યુના કિસ્સાઓ પણ મોટાભાગે નાના બાળકોમાં જોવા મળે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે વિકસિત નથી. જો બાળકને ઊલટી અને ઝાડા થાય અને તેને તાત્કાલિક સારવાર ન મળે તો તેનું નબળું અને નાજુક શરીર દબાણ સહન કરી શકતું નથી. વૃદ્ધોને ફૂડ પોઇઝનિંગનું જોખમ વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. શરીર રોગ સામે લડવા સક્ષમ નથી. સાથે જ ઉંમર સાથે આપણા શરીર પર દવાઓની અસર પણ ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં સ્થિતિ ગંભીર બની શકે છે. સગર્ભા સ્ત્રીઓને પણ જોખમ રહે છે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓની મેટાબોલિઝ્મમાં ઘણા ફેરફારો થાય છે. આ કારણોસર સગર્ભા સ્ત્રીઓ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન માટે વધુ સંવેદનશીલ હોય છે.

Savarkundala: મોટા ઝીંઝુડામાં કારેલાનું શાક ખાધા બાદ 30 બાળકોને ફૂડ પોઇઝનિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા શિવ કુમારી આશ્રમના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. 110 વિદ્યાર્થીમાંથી 30 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. આશ્રમના સંચાલકના જણાવ્યા મુજબ કારેલાનું શાક ખાધા બાદ આ અસર થઈ છે.

20 જેટલા બાળકોને મોટા ઝીંઝુડા પીએચસી સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ત્રણ બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. મોટા ઝીંઝુડા પીએચસી સેન્ટરનો સ્ટાફ આશ્રમ ખાતે જઈ નોર્મલ અસરવાળા બાળકોને સારવાર આપી રહ્યો છે.

ફૂડ પોઈઝનિંગ શું છે?

ફૂડ પોઈઝનિંગ એ ખોરાકજન્ય રોગનો એક પ્રકાર છે. જો કોઈ વ્યક્તિ દૂષિત અથવા ઝેરી ખોરાક ખાય છે, તો તેને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. ફૂડ પોઇઝનિંગના કિસ્સામાં, ઊબકા, ઊલટી અને ઝાડા જેવા લક્ષણો જોઇ શકાય છે.

ફૂડ પોઇઝનિંગના કેસ કેમ વધી રહ્યા છે?

આપણું શરીર અને ખોરાક બંને મૂળભૂત તાપમાને યોગ્ય રીતે કાર્ય કરે છે. બેક્ટેરિયાના વિકાસ અને અસ્તિત્વ માટે ઉનાળાની ઋતુ સૌથી યોગ્ય છે. કહેવાનો મતલબ એ છે કે ઊંચા તાપમાનને કારણે ખોરાક ઝડપથી બગડે છે અને તેમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે. તેમજ ગરમીના કારણે આપણા શરીરની ખોરાક પચાવવાની અને ઝેરી તત્ત્વો સામે લડવાની ક્ષમતા પણ નબળી પડી જાય છે. વધુ ખોરાક ખાધા પછી પણ ઠંડા વાતાવરણમાં સરળતાથી પચી શકે છે, પરંતુ જો તાપમાન 45થી ઉપર હોય, તો બે રોટલી ખાવાથી પણ અપચો થઈ શકે છે.

ફૂડ પોઇઝનિંગનું જોખમ કોને વધારે છે?

ફૂડ પોઈઝનિંગ તંદુરસ્ત વ્યક્તિને પણ થઈ શકે છે. હા, એ વાત સાચી છે કે નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વધુ જોખમ હોય છે.

નાના બાળકોને ફૂડ પોઈઝનિંગનું જોખમ છે

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફૂડ પોઈઝનિંગનું સૌથી વધુ જોખમ હોય છે. ઇન્ફેક્શનને કારણે મૃત્યુના કિસ્સાઓ પણ મોટાભાગે નાના બાળકોમાં જોવા મળે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે વિકસિત નથી. જો બાળકને ઊલટી અને ઝાડા થાય અને તેને તાત્કાલિક સારવાર ન મળે તો તેનું નબળું અને નાજુક શરીર દબાણ સહન કરી શકતું નથી.

વૃદ્ધોને ફૂડ પોઇઝનિંગનું જોખમ

વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. શરીર રોગ સામે લડવા સક્ષમ નથી. સાથે જ ઉંમર સાથે આપણા શરીર પર દવાઓની અસર પણ ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં સ્થિતિ ગંભીર બની શકે છે.

સગર્ભા સ્ત્રીઓને પણ જોખમ રહે છે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓની મેટાબોલિઝ્મમાં ઘણા ફેરફારો થાય છે. આ કારણોસર સગર્ભા સ્ત્રીઓ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન માટે વધુ સંવેદનશીલ હોય છે.