Sarangpur શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ભીમ અગિયારસ નિમિત્તે વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો

Jun 7, 2025 - 10:30
Sarangpur શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ભીમ અગિયારસ નિમિત્તે વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ :07-06-2025 ને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને શણગાર ધરાવવામાં આવ્યો છે. આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ વાઘા પહેરાવ્યા છે.


શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 251 કિલો લાડુ અને 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો છે

આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને 251 કિલો લાડુ અને 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે ભીમ અગિયારસ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 251 કિલો લાડુ અને 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો છે. સુરતના એક ભક્તે 15 દિવસની મહેનતે બનાવીને મોકલેલા વાઘા હનુમાનજીને પહેરાવ્યા છે. આ સાથે આજે સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર છે તમામ ઉતારા અને પાર્કિંગ ફુલ છે. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ દિવ્ય દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0