Rajkot: કરોડોની છેતરપિંડી મામલે સ્વામિનારાણના સ્વામીઓ સામે લૂકઆઉટ નોટિસ જાહેર

રાજકોટમાં રૂપિયા 3.04 કરોડની છેતરપિંડીને લઇ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 4 સ્વામીઓ સામે લૂકઆઉટ નોટિસ ઇસ્યુ થઇ છે. તેમાં એમપી સ્વામી, જે.કે.સ્વામી, દેવ પ્રકાશસ્વામી સામે નોટિસ જાહેર કરવામાં આવી છે. જમીન મકાનના ધંધાર્થી સાથે સ્વામીઓએ છેતરપિંડી કરી હતી. અરવલ્લીના બાયડમાં જમીન ખરીદવા છેતરપિંડી કરાઇ હતી.છેતરપિંડી કરતા શિક્ષક સહિત 3ની ધરપકડ મંદિર અને ગૌશાળા જમીન ખરીદવા છેતરપિંડી કરતા શિક્ષક સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. રાજકોટમાં જમીન મકાનના ધંધાર્થી સાથે રૂપિયા 3.04 કરોડનો છેતરપિંડીના મામલે 4 સ્વામીઓ સામે લૂકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. જેમાં માધવપ્રિય ઉર્ફે એમપી સ્વામી, જયકુષ્ણ સ્વામી ઉર્ફ જે.કે.સ્વામી અને દેવપ્રકાશસ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી સામે ગુજરાતમાં અલગ અલગ પોલીસ મથકમાં 5 ગુના નોંધાયેલા છે. અરવલ્લીના બાયડ તાલુકામાં મંદિર અને ગૌશાળા જમીન ખરીદવા મામલે છેતરપિંડી કરી હતી. રાજકોટમાં ચાર સ્વામી સામે ગુનો નોંધાયો ચિટીંગમાં સામેલ શિક્ષક સહિતની 3ની ધરપકડ થઇ છે જે હાલ રિમાન્ડ પર છે. જેમાં રિમાન્ડ દરમિયાન ચોંકાવનાર ખુલાસા સામે આવી શકે છે. આ કેસમાં ઇઓડબલ્યુની ટીમે સુરત રહેતા શિક્ષક લાલજી ઢોલા, ગાંધીનગરના પીંપલેજ ગામના ભૂપેન્દ્ર પટેલ અને અરવલ્લીના લીંબ ગામના વિજયસિંહ ચૌહાણ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા છે. આ ત્રણેય આરોપીઓને ઠગાઇની રકમમાંથી કેટલી રકમ મળી તે અંગે હાલ ઇઓડબલ્યુની ટીમ તપાસ કરી રહી છે. રાજકોટમાં જે ચાર સ્વામી સામે ગુનો નોંધાયો છે, તેમાંથી ત્રણ સ્વામી સામે ગુજરાતભરમાં કુલ પાંચ ગુના નોંધાયા છે. ઇઓડબલ્યુના સૂત્રોના જણાવ્યા પ્રમાણે માધવપ્રિય ઉર્ફે એમપી સ્વામી સામે વિરમગામ ટાઉનમાં 74.50 લાખની છેતરપિંડી અને સુરતના ઉતરાણ પોલીસ મથકમાં વ્યાજને લગતી ફરિયાદ નોંધાઇ છે. જ્યારે જયકૃષ્ણસ્વામી ઉર્ફે જે.કે. સ્વામી સામે સુરતના વરાછામાં રૂ. 1.34 કરોડની છેતરપિંડી અને સુરત ક્રાઇમ બ્રાંચમાં પણ 1.34 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.આ ઉપરાંત દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી સામે આણંદમાં રૂ. 3.22 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

Rajkot: કરોડોની છેતરપિંડી મામલે સ્વામિનારાણના સ્વામીઓ સામે લૂકઆઉટ નોટિસ જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં રૂપિયા 3.04 કરોડની છેતરપિંડીને લઇ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 4 સ્વામીઓ સામે લૂકઆઉટ નોટિસ ઇસ્યુ થઇ છે. તેમાં એમપી સ્વામી, જે.કે.સ્વામી, દેવ પ્રકાશસ્વામી સામે નોટિસ જાહેર કરવામાં આવી છે. જમીન મકાનના ધંધાર્થી સાથે સ્વામીઓએ છેતરપિંડી કરી હતી. અરવલ્લીના બાયડમાં જમીન ખરીદવા છેતરપિંડી કરાઇ હતી.

છેતરપિંડી કરતા શિક્ષક સહિત 3ની ધરપકડ

મંદિર અને ગૌશાળા જમીન ખરીદવા છેતરપિંડી કરતા શિક્ષક સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. રાજકોટમાં જમીન મકાનના ધંધાર્થી સાથે રૂપિયા 3.04 કરોડનો છેતરપિંડીના મામલે 4 સ્વામીઓ સામે લૂકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. જેમાં માધવપ્રિય ઉર્ફે એમપી સ્વામી, જયકુષ્ણ સ્વામી ઉર્ફ જે.કે.સ્વામી અને દેવપ્રકાશસ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી સામે ગુજરાતમાં અલગ અલગ પોલીસ મથકમાં 5 ગુના નોંધાયેલા છે. અરવલ્લીના બાયડ તાલુકામાં મંદિર અને ગૌશાળા જમીન ખરીદવા મામલે છેતરપિંડી કરી હતી.

રાજકોટમાં ચાર સ્વામી સામે ગુનો નોંધાયો

ચિટીંગમાં સામેલ શિક્ષક સહિતની 3ની ધરપકડ થઇ છે જે હાલ રિમાન્ડ પર છે. જેમાં રિમાન્ડ દરમિયાન ચોંકાવનાર ખુલાસા સામે આવી શકે છે. આ કેસમાં ઇઓડબલ્યુની ટીમે સુરત રહેતા શિક્ષક લાલજી ઢોલા, ગાંધીનગરના પીંપલેજ ગામના ભૂપેન્દ્ર પટેલ અને અરવલ્લીના લીંબ ગામના વિજયસિંહ ચૌહાણ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા છે. આ ત્રણેય આરોપીઓને ઠગાઇની રકમમાંથી કેટલી રકમ મળી તે અંગે હાલ ઇઓડબલ્યુની ટીમ તપાસ કરી રહી છે. રાજકોટમાં જે ચાર સ્વામી સામે ગુનો નોંધાયો છે, તેમાંથી ત્રણ સ્વામી સામે ગુજરાતભરમાં કુલ પાંચ ગુના નોંધાયા છે. ઇઓડબલ્યુના સૂત્રોના જણાવ્યા પ્રમાણે માધવપ્રિય ઉર્ફે એમપી સ્વામી સામે વિરમગામ ટાઉનમાં 74.50 લાખની છેતરપિંડી અને સુરતના ઉતરાણ પોલીસ મથકમાં વ્યાજને લગતી ફરિયાદ નોંધાઇ છે. જ્યારે જયકૃષ્ણસ્વામી ઉર્ફે જે.કે. સ્વામી સામે સુરતના વરાછામાં રૂ. 1.34 કરોડની છેતરપિંડી અને સુરત ક્રાઇમ બ્રાંચમાં પણ 1.34 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.આ ઉપરાંત દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી સામે આણંદમાં રૂ. 3.22 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.