Rajkotના ઉપલેટાના ગઢાળા ગામનો કોઝવે ત્રણ મહિનાથી ધોવાયો, તંત્ર નથી કરતુ સમારકામ

રાજકોટ જીલ્લાના ઉપલેટાના ગઢાળા ગામનો મુખ્ય કોઝવે છેલ્લા 24 દિવસથી તૂટેલી હાલતમાં છે તેથી લોકોને 12 કિલોમીટર ફરીને જવુ પડી રહયું છે,ઉપલેટાના ગઢાળા ગામ નજીક આવેલ મોજ નદી પાસેનો મુખ્ય કોઝવે ધોધમાર વરસાદને કારણે ધોવાઈ ગયો હતો જેને લઈ આ તકલીફ પડી રહી છે,આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી જેના કારણે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.રસ્તા રીપેરની ઉઠી માંગ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામનો કોઝવે મોજ નદીમાં આવેલા પૂરમા ધોવાઈ ગયા બાદ રસ્તો રીપેર કરવાની માંગ ઉઠી છે,મોજ ડેમના પાટિયા ખોલ્યા બાદ ગઢાળા ગામનો કોઝવે જે મોજ નદી પર બનાવવામાં આવેલ છે તે ધોવાઈ જતા ચાલવામાં પણ તકલીફ પડી રહી હોવાની બાબતો સામે આવી રહી છે,કોઝવે ધોવાઈ જતા બસ પણ આવતી નથી અને વિદ્યાર્થીઓ ખેડૂતો અને ગ્રામજનોને તાલુકા મથકે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદ રોકાયો પણ રસ્તા ખરાબ વરસાદ પણ ઘણા દિવસથી રોકાઈ ગયો છે અને પાણી પણ હાલ નથી વહી રહ્યું જેથી તંત્ર તાત્કાલિક રીપેર કરે છે તેવી માંગ ઉઠી છે,ધોવાણ થઈ ગયેલા કોઝવેને રીપેર કરી રસ્તો પુનઃ શરૂ કરી દેવા માટેની ઘટાડા ગામના માજી સરપંચ નારણભાઈ આહીર દ્વારા માંગ કરવામાં આવી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,દર ચોમાસામાં આ રીતે કોઝવે ધોવાઈ જાય છે અને જેના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વાહન લઈને બહાર નિકળીએ તો વાહનને પણ નુકસાન થઈ રહ્યું છે. એક ગામથી બીજા ગામને જોડે છે રોડ સ્થાનિકોનું કહેવું છે કે,એક ગામથી બીજા ગામ જઉ હોય તો નદીના કોઝવે પરથી પસાર થઈને જઉ પડે છે,જો કોઝવે પર બ્રિજ બનાવવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ કાયમ માટે આવી જાય પરંતુ તંત્ર દ્રારા બ્રિજ પણ બનાવવમાં આવતો નથી,જો સ્થાનિકોને બ્રિજ બનાવી આપવામાં આવે તો નદીના પ્રવાહમાંથી પણ બચી શકાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઈ શકાય.

Rajkotના ઉપલેટાના ગઢાળા ગામનો કોઝવે ત્રણ મહિનાથી ધોવાયો, તંત્ર નથી કરતુ સમારકામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જીલ્લાના ઉપલેટાના ગઢાળા ગામનો મુખ્ય કોઝવે છેલ્લા 24 દિવસથી તૂટેલી હાલતમાં છે તેથી લોકોને 12 કિલોમીટર ફરીને જવુ પડી રહયું છે,ઉપલેટાના ગઢાળા ગામ નજીક આવેલ મોજ નદી પાસેનો મુખ્ય કોઝવે ધોધમાર વરસાદને કારણે ધોવાઈ ગયો હતો જેને લઈ આ તકલીફ પડી રહી છે,આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી જેના કારણે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

રસ્તા રીપેરની ઉઠી માંગ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામનો કોઝવે મોજ નદીમાં આવેલા પૂરમા ધોવાઈ ગયા બાદ રસ્તો રીપેર કરવાની માંગ ઉઠી છે,મોજ ડેમના પાટિયા ખોલ્યા બાદ ગઢાળા ગામનો કોઝવે જે મોજ નદી પર બનાવવામાં આવેલ છે તે ધોવાઈ જતા ચાલવામાં પણ તકલીફ પડી રહી હોવાની બાબતો સામે આવી રહી છે,કોઝવે ધોવાઈ જતા બસ પણ આવતી નથી અને વિદ્યાર્થીઓ ખેડૂતો અને ગ્રામજનોને તાલુકા મથકે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.



વરસાદ રોકાયો પણ રસ્તા ખરાબ
વરસાદ પણ ઘણા દિવસથી રોકાઈ ગયો છે અને પાણી પણ હાલ નથી વહી રહ્યું જેથી તંત્ર તાત્કાલિક રીપેર કરે છે તેવી માંગ ઉઠી છે,ધોવાણ થઈ ગયેલા કોઝવેને રીપેર કરી રસ્તો પુનઃ શરૂ કરી દેવા માટેની ઘટાડા ગામના માજી સરપંચ નારણભાઈ આહીર દ્વારા માંગ કરવામાં આવી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,દર ચોમાસામાં આ રીતે કોઝવે ધોવાઈ જાય છે અને જેના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વાહન લઈને બહાર નિકળીએ તો વાહનને પણ નુકસાન થઈ રહ્યું છે.

એક ગામથી બીજા ગામને જોડે છે રોડ
સ્થાનિકોનું કહેવું છે કે,એક ગામથી બીજા ગામ જઉ હોય તો નદીના કોઝવે પરથી પસાર થઈને જઉ પડે છે,જો કોઝવે પર બ્રિજ બનાવવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ કાયમ માટે આવી જાય પરંતુ તંત્ર દ્રારા બ્રિજ પણ બનાવવમાં આવતો નથી,જો સ્થાનિકોને બ્રિજ બનાવી આપવામાં આવે તો નદીના પ્રવાહમાંથી પણ બચી શકાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઈ શકાય.