PM Modiની મુલાકાત ભારત-પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે: CM ભૂપેન્દ્ર પટેલ

ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જામસાહેબે પોલેન્ડના 600થી વધુ બાળકોને ગુજરાતમાં આશરો આપ્યો હતો PM Modiની આ મુલાકાત  " વિકાસ ભી , વિરાસત ભીના" મંત્રને સાર્થક કરે છે: મંત્રી ઋષિકેશ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.21 અને 22 ઓગષ્ટે યુરોપના પોલેન્ડ દેશની મુલાકાતે છે. જેમાં વડાપ્રધાને પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મુલાકાતને આવકારીને ટ્વિટમાં જણાવ્યું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે. વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે. તેમજ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવી આ મુલાકાત  " વિકાસ ભી , વિરાસત ભીના" મંત્રને સાર્થક કરે છે તેમ ઉમેર્યું હતું. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, જામસાહેબના નામથી વોર્સોવામાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત, પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ, રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે. પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું મંત્રી ઋષિકેશ પટેલે જામસાહેબના યોગદાનનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું. આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન, શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામ સાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા. જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવાકાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણો બની રહ્યા છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.

PM Modiની મુલાકાત ભારત-પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે: CM ભૂપેન્દ્ર પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જામસાહેબે પોલેન્ડના 600થી વધુ બાળકોને ગુજરાતમાં આશરો આપ્યો હતો
  • PM Modiની આ મુલાકાત  " વિકાસ ભી , વિરાસત ભીના" મંત્રને સાર્થક કરે છે: મંત્રી ઋષિકેશ પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.21 અને 22 ઓગષ્ટે યુરોપના પોલેન્ડ દેશની મુલાકાતે છે. જેમાં વડાપ્રધાને પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મુલાકાતને આવકારીને ટ્વિટમાં જણાવ્યું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે.

વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે

વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે. તેમજ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવી આ મુલાકાત  " વિકાસ ભી , વિરાસત ભીના" મંત્રને સાર્થક કરે છે તેમ ઉમેર્યું હતું. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, જામસાહેબના નામથી વોર્સોવામાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત, પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ, રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે.

પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું

મંત્રી ઋષિકેશ પટેલે જામસાહેબના યોગદાનનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું. આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન, શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામ સાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા. જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવાકાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણો બની રહ્યા છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.