Patan: સિદ્ધપુરના મામવાડામાં તૃતીય ઈનામ વિતરણ સન્માન સમારોહ યોજાયો

Sep 22, 2025 - 02:30
Patan: સિદ્ધપુરના મામવાડામાં તૃતીય ઈનામ વિતરણ સન્માન સમારોહ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામ ખોત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં તૃતિય ઇનામ વિતરણ સન્માન સમારોહ યોજાયો હતો. સન્માન સમારોહનું આશાપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટ - (કાકોશી ) તથા બારગામ કાકોશીયા ચૌહાણ પરિવાર શિક્ષણ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ પછી મામવાડા સરપંચ બળદેવસિંહ ચેહાજી દ્વારા અંબાજી મંદિર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની સાકરતુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ જણાવ્યું હતું કે, હર્ષ થાય છે કે પંથકના આગેવાનો તેમજ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેના લીધે આસપાસના વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામો મળી રહ્યા છે. શિક્ષણ સમાજને જોડવાનું કામ કરે છે. સમાજમાં યુવાઓની સાથે દીકરીઓ પણ સારું શિક્ષણમાં આગળ વધી રહી છે. આ સમયે આપ સૌએ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેના લીધે કલા, વિજ્ઞાન, ટેકનિકલ શિક્ષણ, સ્કિલ બેજ્ડ શિક્ષણના લઈ શકશે. આમ રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રની યોજનાઓથી કારકિર્દીના નવા દ્વાર ખુલ્યા છે. વિધાર્થીઓ રાજ્ય સરકારની યોજનાનો લાભ લઈ ઉત્તમ કારકિર્દી બનાવવા મદદરૂપ થશે. રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે આપ સૌની સાથે છે. સાકરતુલાના પ્રસંગે કેબિનેટમંત્રીએ મામવાડા સરપંચ બળદેવસિંહ તેમજ તેમની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો જશુભાઇ, આશાપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટ (કાકોશી) તથા બાર ગામ કાકોશીયા ચૌહાણ પરિવાર શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, ગામના આગેવાનો, સરપંચ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0