Narmada:વિસ્થાપિતોને જાતિના દાખલા માટે મામલતદાર કચેરીએ ધક્કા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કાલોલ તાલુકાના નેવરીયા-શક્તિપુરા પંચાયતમાં વસવાટ કરતા નર્મદા વિસ્થાપિતોને તેમની અનુસૂચિત જનજાતિના દાખલા નહી કાઢી આપતાં મામલતદારને આવેદન આપીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વસાહતીઓના આવેદન મુજબ નેવરીયા અને શક્તિપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં દોઢ બે હજાર જેટલી વસ્તી પાછલા 35 વર્ષોથી સરદાર સરોવર યોજનાના વિસ્થાપિતો તરીકે રહેતા હોઈ તત્કાલીન ઠરાવ અનુસાર તેમના રાજયમાં જે જાતિના હતા તેજ જાતિના દાખલા તથા સરકારી લાભો મળી રહે તે માટે સુચનોને આધારે વર્ષ 2022 સુધી જાતિનો દાખલાઓ કાઢી અપાતાં હતાં. પરંતુ તે પછી તેમને જાતીના દાખલા મળતા નથી. તેઓ ડીસેમ્બર-2024થી મામલતદાર કચેરીએ અવારનવાર જતાં હોવા છતાં અધિકારીઓ ગલ્લાતલ્લા કરીને ધરમધકકા ખવડાવે છે. જાતિના દાખલા વિના વિદ્યાર્થીઓને અનામત હેઠળ પ્રવેશ મળતો નથી કે, શિષ્યવૃત્તિનો લાભ પણ મળતો નથી. શિક્ષિત યુવાનોને સરકારી નોકરીઓમાં પસંદગી થવા છતાં નોકરી મળતી નથી. જ્યારે અન્ય જિલ્લા અને તાલુકામાં વિસ્થાપિતોને સરળતાથી દાખલા મળી રહે છે. જ્યારે મામલતદાર હાલમાં અમારા કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં તમારી જાતિનુ કોલમ આવતુ નથી, સ્ટેટસ મેચ થતું નથી, જેથી દાખલો કાઢી આપવામાં નહી આવે, તેમ જણાવતાં હોવાનો આક્ષેપ કરી અરજદારોએ આંદોલન અને આત્મદાહની ચિમકી ઉચ્ચારી હતી.
What's Your Reaction?






