Morbiના વાંકાનેરમા મિત્રએ મોઢા પર પથ્થર મારી મિત્રની કરી હત્યા

મોરબીના વાંકાનેરના સરધારકા ગામે ચેકડેમમાથી મળી આવેલ યુવકની લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે. મિત્ર એ જ મિત્રની હત્યા કરી લાશને ચેકડેમમાં ફેંકી દીધી હતી જેમાં માથાના અને મોઢાના ભાગે પથ્થરના ઘા મારી હત્યા કરવાના બનાવમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.પોલીસે હત્યાને લઈ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. અંગત અદાવતમાં થઈ હત્યા ગત તારીખ 15 ઓગસ્ટના રોજ વાંકાનેર તાલુકાના સરધારકા ગામના ઓઢ નામે ઓળખાતા ચેકડેમમાથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા મૃતકનું નામ રાજેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી હોવાનુ જાણવા મળ્યું હતુ. મૃતકના પીએમ રિપોર્ટમાં બનાવ હત્યાનો હોવાનુ સામે આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતકનો વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ જેમલભાઇ ભુંભરીયા અને ભાવેશભાઈ ઉર્ફે ભરત જગદીશભાઈ ડાભી સાથે ઝઘડો થયો હતો. લાશને ફેંકીને આરોપીઓ રવાના થયા બંને આરોપીઓએ તેનું અપહરણ કરી સરધારકા રોડ ઉપર અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં તેઓએ માથાના તથા મોઢાના ભાગે મોટો પથ્થર મારી મૃત્યુ નિપજાવી પથ્થર પાણીના ખાડામાં ફેકી દીધેલ બાદ પાણીના ખાડામા લાશ નાખવા જતા આજુબાજુમાં રહેણાંક મકાન જોવા મળતા લાશને સાથે લઈ જઈ સરધારકા ગામ પહેલા આવેલ પાણી ભરેલ ચેકડેમમા લાશ ફેકી દીધી હતી.અને આરોપીઓ શાંતિથી ત્યાંથી રવાના થઈ ગયા હતા. પોલીસે હાથધરી વધુ તપાસ લાશને ચેકડેમમાં નાખી બંન્ને આરોપીઓએ તેઓના ઘરે જઈ પોતાના બીજા કપડા લઈ ધમલપર ગામની સીમમા આવી બીજા કપડા પહેરી બનાવ વખતે પહેરેલ લોહીવાળા કપડા સળગાવી દીધા હતા હાલ પોલીસે બન્ને આરોપી સામે આગળની કાર્યવાહી હાથધરી છે.  

Morbiના વાંકાનેરમા મિત્રએ મોઢા પર પથ્થર મારી મિત્રની કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીના વાંકાનેરના સરધારકા ગામે ચેકડેમમાથી મળી આવેલ યુવકની લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે. મિત્ર એ જ મિત્રની હત્યા કરી લાશને ચેકડેમમાં ફેંકી દીધી હતી જેમાં માથાના અને મોઢાના ભાગે પથ્થરના ઘા મારી હત્યા કરવાના બનાવમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.પોલીસે હત્યાને લઈ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.

અંગત અદાવતમાં થઈ હત્યા

ગત તારીખ 15 ઓગસ્ટના રોજ વાંકાનેર તાલુકાના સરધારકા ગામના ઓઢ નામે ઓળખાતા ચેકડેમમાથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા મૃતકનું નામ રાજેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી હોવાનુ જાણવા મળ્યું હતુ. મૃતકના પીએમ રિપોર્ટમાં બનાવ હત્યાનો હોવાનુ સામે આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતકનો વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ જેમલભાઇ ભુંભરીયા અને ભાવેશભાઈ ઉર્ફે ભરત જગદીશભાઈ ડાભી સાથે ઝઘડો થયો હતો.


લાશને ફેંકીને આરોપીઓ રવાના થયા

બંને આરોપીઓએ તેનું અપહરણ કરી સરધારકા રોડ ઉપર અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં તેઓએ માથાના તથા મોઢાના ભાગે મોટો પથ્થર મારી મૃત્યુ નિપજાવી પથ્થર પાણીના ખાડામાં ફેકી દીધેલ બાદ પાણીના ખાડામા લાશ નાખવા જતા આજુબાજુમાં રહેણાંક મકાન જોવા મળતા લાશને સાથે લઈ જઈ સરધારકા ગામ પહેલા આવેલ પાણી ભરેલ ચેકડેમમા લાશ ફેકી દીધી હતી.અને આરોપીઓ શાંતિથી ત્યાંથી રવાના થઈ ગયા હતા.

પોલીસે હાથધરી વધુ તપાસ

લાશને ચેકડેમમાં નાખી બંન્ને આરોપીઓએ તેઓના ઘરે જઈ પોતાના બીજા કપડા લઈ ધમલપર ગામની સીમમા આવી બીજા કપડા પહેરી બનાવ વખતે પહેરેલ લોહીવાળા કપડા સળગાવી દીધા હતા હાલ પોલીસે બન્ને આરોપી સામે આગળની કાર્યવાહી હાથધરી છે.