Mehsanaના રામોસણા વિસ્તારમાં ગટરના પાણી સોસાયટીમાં વહી રહ્યાં છે, સ્થાનિકોમાં ભારે રોષ

મહેસાણાના રામોસણા વિસ્તારના લોકો હાલાકીમાં મૂકાયા છે.રસ્તા પર ગટર ઉભરાવવાની સમસ્યાથી પરેશાન થયા છે સ્થાનિકો સાથે સાથે સમસ્યાનો ઉકેલ નહીં આવતા સ્થાનિકો એકત્ર થયા છે અને નગરપાલિકા સામે રોષ ઠાલવી રહ્યાં છે,આ સમસ્યા કોઈ એક સોસાયટીની નથી પરંતુ 6 થી 7 સોસાયટીઓની છે.રહીશો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.ગટરના પાણી ફરી વળ્યા સોસાયટીમા મહેસાણામાં 6 થી 7 સોસાયટીમાં ગટરના પાણી ફરી વળતા લોકોમાં રોષની લાગણી જોવા મળી છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,છેલ્લા 15 દિવસથી ગટરના પાણી બેક મારી રહ્યાં છે જેના કારણે આ સમસ્યાનું સર્જન થયું છે,આ બાબતે કલેકટર અને નગરપાલિકાને જાણ કરી તેમ છત્તા તેનો કોઈ ઉકેલ આવ્યો છે.જો આ સમસ્યાનું નિરાકરણ નહી આવે તો અગામી સમયમાં આંદોલનની ચિમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.મહત્વનું છે કે નગરપાલિકા જાણે છે તેમ છત્તા કોઈ કામગીરી કરતું નથી. રોગચાળો ફાટી નીકળવાની શકયતા મહેસાણાના રામોસણા વિસ્તારની પાંચ થી છ સોસાયટીઓમાં ગટરના પાણી બેક મારીને સોસાયટીમાં ફરી વળ્યા છે જેના કારણે રોગચાળો ફેલાવાની શકયતા રહેલી છે,સ્થાનિકોનું કહેવું છે કે ઘરમાં બેસી શકાતું નથી એટલી દુર્ગંધ મારે છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે.ઘરની બહાર નીકળવું હોય તો પણ ગંદા પાણીમાંથી નીકળવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.ત્યારે અગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી છે નહી તો રોગચાળો ફાટી નીકળશે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

Mehsanaના રામોસણા વિસ્તારમાં ગટરના પાણી સોસાયટીમાં વહી રહ્યાં છે, સ્થાનિકોમાં ભારે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાના રામોસણા વિસ્તારના લોકો હાલાકીમાં મૂકાયા છે.રસ્તા પર ગટર ઉભરાવવાની સમસ્યાથી પરેશાન થયા છે સ્થાનિકો સાથે સાથે સમસ્યાનો ઉકેલ નહીં આવતા સ્થાનિકો એકત્ર થયા છે અને નગરપાલિકા સામે રોષ ઠાલવી રહ્યાં છે,આ સમસ્યા કોઈ એક સોસાયટીની નથી પરંતુ 6 થી 7 સોસાયટીઓની છે.રહીશો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

ગટરના પાણી ફરી વળ્યા સોસાયટીમા

મહેસાણામાં 6 થી 7 સોસાયટીમાં ગટરના પાણી ફરી વળતા લોકોમાં રોષની લાગણી જોવા મળી છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,છેલ્લા 15 દિવસથી ગટરના પાણી બેક મારી રહ્યાં છે જેના કારણે આ સમસ્યાનું સર્જન થયું છે,આ બાબતે કલેકટર અને નગરપાલિકાને જાણ કરી તેમ છત્તા તેનો કોઈ ઉકેલ આવ્યો છે.જો આ સમસ્યાનું નિરાકરણ નહી આવે તો અગામી સમયમાં આંદોલનની ચિમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.મહત્વનું છે કે નગરપાલિકા જાણે છે તેમ છત્તા કોઈ કામગીરી કરતું નથી.


રોગચાળો ફાટી નીકળવાની શકયતા

મહેસાણાના રામોસણા વિસ્તારની પાંચ થી છ સોસાયટીઓમાં ગટરના પાણી બેક મારીને સોસાયટીમાં ફરી વળ્યા છે જેના કારણે રોગચાળો ફેલાવાની શકયતા રહેલી છે,સ્થાનિકોનું કહેવું છે કે ઘરમાં બેસી શકાતું નથી એટલી દુર્ગંધ મારે છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે.ઘરની બહાર નીકળવું હોય તો પણ ગંદા પાણીમાંથી નીકળવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.ત્યારે અગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી છે નહી તો રોગચાળો ફાટી નીકળશે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.