Mehsana: પત્નીએ પ્રેમી સાથે મળી પોતાના પતિની કરી હત્યા

મહેસાણામાં પતિ, પત્ની ઔર વોની કહાની સામે આવી છે. દેવરાસણ કેનાલ પાસે વિજાપુર તાલુકાના ભીમપુરા ગામના અતુલ રાવળની હત્યા કરેલી સ્થિતિમાં લાશ પડી હોવાની જાણકારી મહેસાણા તાલુકા પોલીસને મળી હતી. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું કે પત્ની એ જ પોતાના પતિની હત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું. પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો પતિની હત્યા કર્યા બાદ કાયદાના સંઘર્ષમાં આવતી આ પત્ની નંદાસણ પોલીસ મથકે પહોંચી અને પોતાના પતિની હત્યા કરી હોવાની કબુલાત કરી ઘટનાની ગંભીરતાને લઈ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.સોલંકીએ પૂછતાછ કરતા આ પત્ની પોતાના પતિની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ રટણ કરી રહી હતી. પત્નીના પ્રેમીને જોતા પતિ અને પ્રેમી વચ્ચે બોલાચાલી થઈ પત્ની એ જ પોતાના પતિની હત્યા કરી હોવાનું કબુલાત કરી લીધા બાદ પણ પોલીસને શંકા જતા ટેકનીકલ સર્વેલેન્સની મદદથી તપાસ કરતા પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ભીમપુરા ગામેથી પોતાની પત્ની સાથે મૃતક અતુલ રાવળ પાલોદરમાં જોગણી માતાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો, ત્યાં પત્નીના પ્રેમીને જોઈ જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આગળ મળીએ તેમ કહીને ત્યાંથી મૃતક અતુલ રાવળ તેની પત્ની સાથે બાઈક પર નીકળ્યો હતો અને આરોપી જયેશજી ઠાકોર તેના પાછળ પાછળ ગયો, ત્યારબાદ દેવરાસણ કેનાલ નજીક બંને વચ્ચે રકજક થઈ અને પોતાની પાસે રાખેલા ખંજરથી જયેશજી ઠાકોરે અતુલને ગળાના ભાગે તથા છાતીના ભાગે હુમલો કર્યો. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા પત્નીએ પણ પ્રેમી જયેશજી સાથે મળીને પોતાના પતિનું ઢીમ ઢાળી દીધું હતું. હત્યા કર્યા બાદ આરોપી જયેશજી ઠાકોર અને મૃતકની પત્નીને નંદાસણ પોલીસ સ્ટેશને લઈ ગયા અને જયેશજી ઠાકોર મૃતકની પત્નીને ત્યાં ઉતારીને પોતાના ઘરે રવાના થયો હોવાની વાત સામે આવી. પોલીસ પાસેથી મળતી જાણકારી મુજબ લગ્નના 5 દિવસ પહેલા મૃતકની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારબાદ પરિવારની સમજાવટ બાદ અતુલ રાવળ સાથે લગ્ન કરાવ્યા, પરંતુ પહેલેથી જ આરોપી જયેશજી ઠાકોરને સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે મૃતક અતુલ રાવળ સાથે પત્નીને બનતું ન હતું.

Mehsana: પત્નીએ પ્રેમી સાથે મળી પોતાના પતિની કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણામાં પતિ, પત્ની ઔર વોની કહાની સામે આવી છે. દેવરાસણ કેનાલ પાસે વિજાપુર તાલુકાના ભીમપુરા ગામના અતુલ રાવળની હત્યા કરેલી સ્થિતિમાં લાશ પડી હોવાની જાણકારી મહેસાણા તાલુકા પોલીસને મળી હતી. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું કે પત્ની એ જ પોતાના પતિની હત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું.

પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો

પતિની હત્યા કર્યા બાદ કાયદાના સંઘર્ષમાં આવતી આ પત્ની નંદાસણ પોલીસ મથકે પહોંચી અને પોતાના પતિની હત્યા કરી હોવાની કબુલાત કરી ઘટનાની ગંભીરતાને લઈ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.સોલંકીએ પૂછતાછ કરતા આ પત્ની પોતાના પતિની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ રટણ કરી રહી હતી.

પત્નીના પ્રેમીને જોતા પતિ અને પ્રેમી વચ્ચે બોલાચાલી થઈ

પત્ની એ જ પોતાના પતિની હત્યા કરી હોવાનું કબુલાત કરી લીધા બાદ પણ પોલીસને શંકા જતા ટેકનીકલ સર્વેલેન્સની મદદથી તપાસ કરતા પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ભીમપુરા ગામેથી પોતાની પત્ની સાથે મૃતક અતુલ રાવળ પાલોદરમાં જોગણી માતાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો, ત્યાં પત્નીના પ્રેમીને જોઈ જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આગળ મળીએ તેમ કહીને ત્યાંથી મૃતક અતુલ રાવળ તેની પત્ની સાથે બાઈક પર નીકળ્યો હતો અને આરોપી જયેશજી ઠાકોર તેના પાછળ પાછળ ગયો, ત્યારબાદ દેવરાસણ કેનાલ નજીક બંને વચ્ચે રકજક થઈ અને પોતાની પાસે રાખેલા ખંજરથી જયેશજી ઠાકોરે અતુલને ગળાના ભાગે તથા છાતીના ભાગે હુમલો કર્યો.

પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા

પત્નીએ પણ પ્રેમી જયેશજી સાથે મળીને પોતાના પતિનું ઢીમ ઢાળી દીધું હતું. હત્યા કર્યા બાદ આરોપી જયેશજી ઠાકોર અને મૃતકની પત્નીને નંદાસણ પોલીસ સ્ટેશને લઈ ગયા અને જયેશજી ઠાકોર મૃતકની પત્નીને ત્યાં ઉતારીને પોતાના ઘરે રવાના થયો હોવાની વાત સામે આવી. પોલીસ પાસેથી મળતી જાણકારી મુજબ લગ્નના 5 દિવસ પહેલા મૃતકની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારબાદ પરિવારની સમજાવટ બાદ અતુલ રાવળ સાથે લગ્ન કરાવ્યા, પરંતુ પહેલેથી જ આરોપી જયેશજી ઠાકોરને સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે મૃતક અતુલ રાવળ સાથે પત્નીને બનતું ન હતું.