Junagadh News: ડોન બનવા નીકળેલી વિવાદિત કીર્તી પટેલને લઈને પોલીસ જૂનાગઢ પહોંચી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રીના દિવસે ભગવા કપડાં પહેરીના નાગા સાધુઓ વચ્ચે જઈને ડૂબકી મારનાર કીર્તિ પટેલ સામે કાયદાનો ગાળિયો કસાયો છે. કીર્તિ પટેલ સામે સાત દિવસમાં ત્રણ ફરિયાદો નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. તેને રાજસ્થાનથી પકડીને જૂનાગઢ લાવવામાં આવી છે. પોલીસે મીડિયાને જોઈને ગાડી ભગાવી મુકી હતી.
એક જ સપ્તાહમાં કીર્તિ પટેલ સામે ત્રણ ફરિયાદો
જૂનાગઢમાં મહાશીવરાત્રીના મેળામાં મૃગી કૂંડમાં ડૂબકી લગાવવાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને કીર્તિ પટેલને મંદિર પરિસરની બહાર કાઢી હતી. ત્યાર બાદ કીર્તિ પટેલે મહિલા પોલીસ અધિકારી સામે બબાલ કરતા તેની સામે પોલીસની ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ ધાર્મિક લાગણી દુભાવા અંગે પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. આટલેથી નહીં અટકતા જેતપુરના એક યુટ્યૂબરે કીર્તિ પટેલે 20 લાખની ખંડણી માગીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાથી તેણે દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. એક સાથે ત્રણ ફરિયાદો નોંધાતા કીર્તિ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી.
મીડિયાને જોઈ પોલીસ ગાડી ભગાડી
પોલીસે વિવાદ વધતાં કીર્તિ પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આખરે તે રાજસ્થાનમાં હોવાની જાણકારી મળતાં જ પોલીસે તેને રાજસ્થાનથી પકડી પાડી હતી. રાજસ્થાનથી તેને જૂનાગઢ લાવવામાં આવી હતી.પોલીસ જ્યારે કીર્તિને લઈને જૂનાગઢ પહોચી હતી ત્યારે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે કીર્તિ પટેલ સામેથી મીડિયાને પણ દૂર રાખી હતી અને ગાડી ભગાવી મુકી હતી.
આ પણ વાંચોઃ Vadodara News: બેંક મેનેજરની સતર્કતાથી પાંચ દિવસ ડિજિટલ એરેસ્ટ રહેલા વૃદ્ધના 20 લાખ બચી ગયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

