Jamnagar: BRC ભવનની બેદરકારી, બાળકોને આપવાનું સાહિત્ય વરસાદી પાણીમાં પલળ્યું

જામનગરના દરેડ પાસે આવેલ BRC ભવનની બેદરકારી સામે આવી છે. જેમાં ભવનમાં રાખવામાં આવેલ બાળકોને આપવાનું સ્વાધ્યાયપોથી , નોટબુક સહિતનું સાહિત્ય વરસાદી પાણીમાં પલળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.BRC ભવનમાં વરસાદી પાણી ઘૂસી ગયા જામનગરમાં બાળકોને ભણવા માટે આપવાનું સાહિત્ય વરસાદી પાણીમાં પલડી ગયું હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વનું કહી શકાય કે, થોડા દિવસો પૂર્વે આવેલ વરસાદમાં BRC ભવનમાં પાણી ઘૂસી ગયા હતા. બાળકોનું સાહિત્ય પલડી જતાં સવાલો ઉઠ્યા આ BRC ભવનમાં પાણી ઘૂસી ગયા હોવાથી સ્વાધ્યાયપોથી અને નોટબુક સહિતનું સાહિત્ય પાણીમાં પલળ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વરસાદી પાણીમાં આ બાળકોનું સાહિત્ય પલડી જતાં સવાલો ઊભા થયા છે. કોની બેદરકારીના કારણે બની ઘટના? આ સમગ્ર બાબતે BRC ભવન દ્વારા આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત જાણ કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. જોકે, સમગ્ર ઘટના કોની બેદરકારીના કારણે બની અને શા માટે વિતરણ ના થયા પુસ્તકો આ તપાસનો વિષય બની ગયો છે.

Jamnagar: BRC ભવનની બેદરકારી, બાળકોને આપવાનું સાહિત્ય વરસાદી પાણીમાં પલળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરના દરેડ પાસે આવેલ BRC ભવનની બેદરકારી સામે આવી છે. જેમાં ભવનમાં રાખવામાં આવેલ બાળકોને આપવાનું સ્વાધ્યાયપોથી , નોટબુક સહિતનું સાહિત્ય વરસાદી પાણીમાં પલળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

BRC ભવનમાં વરસાદી પાણી ઘૂસી ગયા

જામનગરમાં બાળકોને ભણવા માટે આપવાનું સાહિત્ય વરસાદી પાણીમાં પલડી ગયું હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વનું કહી શકાય કે, થોડા દિવસો પૂર્વે આવેલ વરસાદમાં BRC ભવનમાં પાણી ઘૂસી ગયા હતા.

બાળકોનું સાહિત્ય પલડી જતાં સવાલો ઉઠ્યા

આ BRC ભવનમાં પાણી ઘૂસી ગયા હોવાથી સ્વાધ્યાયપોથી અને નોટબુક સહિતનું સાહિત્ય પાણીમાં પલળ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વરસાદી પાણીમાં આ બાળકોનું સાહિત્ય પલડી જતાં સવાલો ઊભા થયા છે.

કોની બેદરકારીના કારણે બની ઘટના?

આ સમગ્ર બાબતે BRC ભવન દ્વારા આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત જાણ કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. જોકે, સમગ્ર ઘટના કોની બેદરકારીના કારણે બની અને શા માટે વિતરણ ના થયા પુસ્તકો આ તપાસનો વિષય બની ગયો છે.