Halvad:રેલવે સ્ટેશનથી પસાર થતી ડાઉન સયાજીનગરી ટ્રેનને સ્ટોપેજ આપવા માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રેલવે વિભાગ દ્વારા મુસાફરોને વધુ સુવિધા મળે તે માટે નવી ફસ્ટ ટ્રેન ઉપરાંત મેટ્રો ટ્રેઈન દોડાવી રહ્યું છે ઉપરાંત વિવિધ શહેરો માં પણ નવી ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે ત્યારે પાંચ લાખની વસ્તી ધરાવતા હળવદ તાલુકાને શહેરમાંથી પસાર થતી ડાઉન સયાજીનગરી ટ્રેઈન નો હળવદ સ્ટેશન નો સ્ટોપ કોરોના કાળ થી બંધ હોવાને કારણે તાલુકા અને શહેરના મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે.
હળવદ શહેર તેમજ તાલુકા ના મુસાફરોને રેલવે વિભાગ દ્વારા હળાહળ અન્યાય થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે હળવદ થી મુંબઈ જવા માટે તેમજ મુંબઈ થી હળવદ આવવા માટે વર્ષો થી હળવદ શહેરમાં સ્ટોપ ધરાવતી સયાજીનગરી ટ્રેન નો કોરોના કાળ થી હળવદ સ્ટેશનમાં સ્ટોપેજ રદ કરી નાખવામાં આવ્યો હતો જે આજદિન સુધી પણ આ ટ્રેઈન નો સ્ટોપેજ નહી મળતા મુંબઈ તરફ જતા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.
મુંબઈ થી હળવદ તરફ આવવા માટે રોજ ની બે ટ્રેનો હાલમાં ચાલુ છે એક કચ્છ એક્સપ્રેસ અને બીજી સયાજીનગરી એક્સપ્રેસ એવી રીતે હળવદ થી મુંબઈ તરફ જવા માત્ર કચ્છ એક્સપ્રેસ એક જ ટ્રેન નો સ્ટોપ હળવદમાં છે જ્યારે સયાજીનગરી નો હાલ સ્ટોપ નથી આ બાબતે રેલવે વિભાગને અવારનવાર જાણ કરવા છતાં પણ આજ સુધી આ ટ્રેનના સ્ટોપેજ બાબતે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી.
બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય માં ભાજપ ની સરકાર અને હળવદ સાંસદ સભ્ય તેમજ ધારાસભ્ય પણ ભાજપના હોવા છતાં પણ આ ટ્રેન નો હળવદ નો સ્ટોપ કરાવી શકતા નથી તેવું શહેરીજનો કહી રહ્યા છે.
What's Your Reaction?






