Gujarat News: મેજર અને માઈનોર કેટેગરીના કુલ 97 પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

Jul 14, 2025 - 19:30
Gujarat News: મેજર અને માઈનોર કેટેગરીના કુલ 97 પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ અને પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે.આ રસ્તા અને પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યભરમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.રાજ્યમાં કુલ 47 ટકા પેચવર્કની કામગીરી એટલે કે, કુલ 1401 કિ.મી. લંબાઈના મેજર અને માઈનોર રસ્તાઓમાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરાઈ છે.આ ઉપરાંત રસ્તાઓમાં પડેલા માઇનર પોટહોલ્સ-ખાડા પૂરવાની 63 ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરાઈ છે.એટલે કે, કુલ 9092 પોટહોલ્સ પુરવામાં આવ્યા છે.

રસ્તાઓમાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી

ગુજરાતમાં રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના મળીને કુલ 1.19 લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ આવેલા છે. આ રસ્તાઓ પૈકી ભારે વરસાદના પગલે ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેજર અને માઇનોર પેચવર્ક કરવાપાત્ર 2985 કિ.મી. રસ્તાઓમાંથી કુલ 1401 કિ.મી. રસ્તાઓમાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.અત્યાર સુધીમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર કુલ 14339 જેટલા માઇનોર પોટહોલ્સ-ખાડા પૈકી 9092 એટલે કે 63 ટકાથી વધુ પોટહોલ્સ ભરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.જેમાં કોન્ક્રીટથી ભરેલા પોટહોલ્સ 287, પેવર બ્લોકથી ભરેલા પોટહોલ્સ 138, મેટલથી ભરેલા પોટહોલ્સ 5735 અને ડામરથી ભરેલા 2932 પોટહોલ્સનો સમાવેશ થાય છે.

અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટની કામગીરી

અમદાવાદ ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ 323.19 કિ.મી.ના રસ્તાઓમાંથી 159.74 કિ.મી.ના રસ્તામાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ 1714પોટહોલ્સ ભરવામાં આવ્યાં છે. ગાંધીનગર ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ 176.07 કિ.મી.ના રસ્તાઓમાંથી 122.8 કિ.મી.ના રસ્તામાં પેચવર્કની કામગીરી તેમજ 1188 પોટહોલ્સની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટ-1 ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ 366.3 કિ.મી.ના રસ્તાઓમાંથી 106 કિ.મી.ના રસ્તામાં પેચવર્કની તેમજ 845 પોટહોલ્સની કામગીરી પૂર્ણ કરાઈ છે.રાજકોટ- 2 ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ 907.6 કિ.મી.ના રસ્તાઓમાંથી 235.07 કિ.મી.ના રસ્તામાં પેચવર્કની તેમજ 767 જેટલા પોટહોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે.

97 પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં

આ ઉપરાંત વડોદરા ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ 534.8 કિ.મી.ના રસ્તાઓમાંથી 378 કિ.મી.ના રસ્તામાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ 2168 પોટહોલ્સ ભરવામાં આવ્યાં છે.સુરત ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ 676.3 કિ.મી.ના રસ્તાઓમાંથી 399 કિ.મી.ના રસ્તામાં પેચવર્કની તેમજ 2410 પોટહોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાયેલા સર્વે અનુસાર, શક્ય જોખમોને ટાળવા માટે મેજર અને માઈનોર કેટેગરીના ભારે વાહનો માટેના 81 અને તમામ વાહનો માટેના 16 મળીને કુલ 97 પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે.જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના 12, પંચાયતના 23 અને રાજ્ય ધોરીમાર્ગના 62 પુલનો સમાવેશ થાય છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0