Gujarat: હિમાચલ અને તેલંગાણામાં દુર્ઘટનામાં મૃતકોને મોરારી બાપુએ 12 લાખની સહાય અર્પણ કરી

Jul 2, 2025 - 19:30
Gujarat: હિમાચલ અને તેલંગાણામાં દુર્ઘટનામાં મૃતકોને મોરારી બાપુએ 12 લાખની સહાય અર્પણ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ અને નુકસાન હિમાચલ પ્રદેશમાં થવા પામ્યું છે. વાદળ ફાટવાથી અને અતિવૃષ્ટિ ને કારણે પ્રાપ્ત માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં 40 લોકોનાં મોત નિપજયા છે અને લાખો રુપિયાની ખુવારી થઈ છે. મોરારી બાપુની રામકથા અમેરિકામાં લિટલ રોક ખાતે ચાલી રહી છે અને તેમને આ સમાચાર પ્રાપ્ત થતાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે.તેમના પરિવારજનોને રુપિયા 6 લાખની સહાય અર્પણ કરી છે.આ વિતિય સેવા કથાના મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવશે અને ટ્રસ્ટ દ્વારા રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે.

તેલંગણા રાજ્યની દવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો

બીજી બાજુ બે દિવસ પહેલા તેલંગણા રાજ્યની દવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને ભયાનક આગ લાગી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 44 લોકોનાં કરુણ મોત નિપજયા છે. મોરારી બાપુએ ઉપરોક્ત ઘટનામાં માર્યા ગયેલાઓને પણ રુપિયા 6,60,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે.મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવી દેવામાં આવશે.

કાર કેનાલમાં ખાબકતાં ત્રણ લોકોનાં મોત

ગાંધીનગર નજીક એક કાર કેનાલમાં ખાબકતાં ત્રણ લોકોનાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા 45000ની સહાય મોકલવામાં આવશે. જામનગરમાં સલાયા નજીક બે યુવકનાં પાણીમાં ડૂબી જતાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા 30000ની સહાય મોકલવામાં આવશે.પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0