બરેલીથી ભારત દેશમાં આવેલ ધાર્મિક સ્થળો પર જવા માટે દંડવત્ કરતાં કરતાં અને ધોરાજીમાં આગમન સનાતન ધર્મ અને ગૌ માતાની સુરક્ષા અને ગૌ માતાને રાષ્ટ્ર નો દરજ્જો મળી જાય તેવાં ઉદેશ્યથી નાકળી રહ્યાં છે.
દંડવત કરતા કરતા ધોરાજી મુકામે પહોંચી આવ્યા છે
બરેલી ગામના રહેવાસી એવા નરેશ ગંગવા ભારત દેશમાં સનાતન ધર્મ અને ગૌ માતાની રક્ષા અને ગૌ માતાને રાષ્ટ્ર હિત દરજ્જો મળી જાય તેવાં ઉદેશ્યથી ભારત દેશના રાજ્યમાં આવેલાં ધાર્મિક સ્થળોએ દંડવત્ કરતાં કરતાં આવાં ધોમધખતા તાપમાં નીકળી રહયા હોય ત્યારે યુપી અને અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળો પર દંડવત કરતા કરતા ધોરાજી મુકામે પહોંચી આવ્યા છે.
10 વર્ષ સુધી આ યાત્રા કરવાનું આયોજન
ત્યારે દેશ હિત માટે જે જયોતિ જલાવી છે તેમ તેમની પત્ની અને તેમનો દીકરો પણ આ પિતાની સાથે હરપળ તેમની સાથે પડછાયો બનીને સાથ આપી રહયા છે, કોઈ પણ પ્રકારની લોભ લાલચ વિના દેશમાં સનાતન ધર્મ અને ગૌ માતાની સુરક્ષા માટે અને ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો આપવામાં માટે અને માનવતાની જગ્યાએ દાનવતાનો માર્ગ પર ચાલી રહયા છે, તેને સદ્બુદ્ધિ અર્પણ કરવામાં આવેલ તેવાં ઉદેશ્ય અને દેશ ભક્તિનો ભેખ ધારણ કરીને દંડવત કરતાં આશરે 6000 કિલોમીટર જેટલો 25 મહિના જેટલો સમય વિતી ગયા બાદ ધોરાજી પહોંચ્યા છે હજુ બાર થી તેર હજાર કિલોમીટરની યાત્રા અને અંદાજે દસ વર્ષ સુધી આ દંડવત્ યાત્રા સુધી આ દંડવત્ યાત્રા ચાલુ રહેશે તેવું જાણાવેલ છે.