Godhra:હાઇવિઝિબિલિટી ધરાવતા નાઈટ વિઝન સી.સી. કેમેરા મુકવા માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોધરા નગર પાલિકા સંચાલિત ગોધરા શહેરના પંડીત દિનયાળ ઉપાધ્યાય, જહુરપુરા શાકમાર્કેટની અંદર તથા બહાર અને નાગરીક સુવિધા કેન્દ્ર પાસેના સી.સી.ટી.વી કેમેરા મુકવા સ્થાનિક રહીશ હરેશભાઈ મંજાની ધ્વારા પ્રાદેશિક કમિશનર વડોદરાને રજૂઆત કરી હતી.
ગોધરા શહેર ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાય શાકમાર્કેટ, જહુરપુરા ખાતે નગરજનો તથા આજુ બાજુના ગામનાં ખેડૂત શાકભાજીના ખરીદ વેચાણ અર્થે આવે છે. શાક માર્કેટ સવારના 4 થી રાતના 8 સુધી ઘમઘમતુ રહે છે. નાગરીક સુવિધા કેન્દ્ર ઉપર નગરજનો વિવિધ જનકલ્યાણ યોજનાઓ અને નગર પાલિકાની સેવાઓનો લાભ લેવા આવે છે. નાગરીકોની સુરક્ષા માટે અને પ્રજાજનોના હિતમાં ત્રણ વર્ષ અગાઉ તે સ્થળે પાંચ સી.સી.ટી.વી કેમેરા લગાવાયા હતાં. પરંતુ ધણા સમયથી આ કેમરા અને તેના વાયર કેટલાક તત્વોએ દુર કરી દીધા છે. સાથે દિનપ્રતિદિન રસ્તા પરના દબાણો,ગંદકી અને અરાજકતા આ વિસ્તારમાં ફેલાઈ રહેલ છે. તેમજ રોડ પર બેસી ધંધો કરતાં વેપારીઓના કારણે ટ્રાફીક સહિતની ઘણી સમસ્યાઓ પણ ઉભી થઈ છે. આ વિસ્તાર અતિસંવેદનશીલ હોઈ ખેડૂતો અને નગરજનોની આરોગ્ય અને સુરક્ષાને ધ્યાને લઈ શાકમાર્કેટમાં દિવસે સુપરવાઈઝર મુકી, બન્ને મુખ્ય પ્રવેશદ્વાર પાસે નાઈટ વિઝન કેમેરા મુકી સમયાંતરે મોનીટરીંગ કરવા માગ કરાઈ છે.
What's Your Reaction?






