Godhra:નગર પાલિકા દ્વારા ખાણીપીણીની લારી સહિતના દબાણો દૂર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં સ્થળાંતરિત હંગામી બસ સ્ટેશન વિસ્તારમાં આજે ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરાઈ હતી. જેમાં ખાણીપીણીની લારીઓ જપ્ત કરાઈ હતી.
ગોધરા શહેરમાં લાલબાગ વિસ્તારમાંથી ભુરાવાવ વિસ્તારમાં એસ.ટી વર્કશોપની સામે બસ સ્ટેન્ડ ખસેડવામા આવ્યુ છે. બસોની અવરજવર પણ અહીથી શરુ થઈ ગઈ છે. ત્યારે આજે પાલિકાતંત્ર સહિત અન્ય ટીમો દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી. ખાણીપીણીનો ધંધો કરતો કરતા વેપારીની લારીને પાલિકાતંત્ર દ્વારા હટાવીને ટ્રેકટરમાં મુકી દેવાઈ હતી. હાલમાં ભુરાવાવ વિસ્તારમા અમદાવાદ રોડ તરફ્ના જે દબાણો હતા તેને દુર કરવાની કવાયત પાલિકા દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. આ સમયે એક લારી ધારકની લારી જેસીબીથી હટાવતાં સમયે તૂટી જતાં લારી ધારકે રોષ વ્યક્ત કર્યો હતો. મામલતદાર હર્ષદભાઈએ જણાવ્યુ હતુ કે, ભુરાવાવ વિસ્તારમાં કાર્યરત બસ સ્ટેશન ની બહાર ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા કેબીનો અને દબાણો દુર કરવામા આવ્યા હતા. પરંતુ પુનઃ દબાણો થઈ જતા તેને દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
What's Your Reaction?






