Gandhinagar: ક્વોરી એસોસિએશનની બેઠક, 12 દિવસથી ચાલતી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય

ક્વોરી એસોસિએશનની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. ક્વોરી એસોસિએશનની 12 દિવસથી ચાલતી હડતાળ યથાવત રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કમિશનર સાથેની બેઠકમાં ક્વોરી એસોસિએશન અને કમિશનર સાથે એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સના મુદ્દા પર સહમતી ના બનતાં હડતાળ યથાવત રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર ખાણ ખનીજ સાથે ક્વોરી એસોસિએશનની બેઠક યોજાઈ હતી. ધંધો-રોજગાર બંધ રાખવા સભ્યોનો નિર્ણય ગુજરાત ક્વોરી એસોસિએશનના મહામંત્રી અમિત સુથારએ જણાવ્યું હતું કે, કમિશનરની અધ્યક્ષતામાં ક્વોરી એસોસિએશનની બેઠક મળી હતી. કમિશનર દ્વારા પોઝીટીવ અભિગમ અપનાવવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી અમારા જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ આવતું અમને દેખાયું નથી. જેથી કરીને અમે ગુજરાતના સર્વ જિલ્લા પ્રમુખોની મીટિંગ મળી હતી. એ મીટિંગની અંદર સર્વાનુમતે ચર્ચા કરી જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારો ધંધો-રોજગાર બંધ રાખીશું. પડતર પ્રશ્નોને લઈને હડતાળ કરવામાં આવી ગુજરાત રાજ્યમાં લીઝ અને લીઝના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળ પાડવામાં આવી છે. હડતાળ પર ઊતરતાં રાજ્યની તમામ ક્વોરીઓ બંધ થઈ ગઈ છે. બીજી બાજુ ભારે વરસાદને કારણે મુખ્ય નેશનલ અને સ્ટેટ હાઇવેથી લઇ જિલ્લાનાં મુખ્ય માર્ગો પણ ખખડધજ થઈ ગયા છે. જેને રિપેર કરવા ડામર કપચી, ડસ્ટ મટીરીયલની જરૂર પડશે, પણ હાલ ક્વોરી બંધ હોય સરકારના નિર્ણયથી તંત્ર રસ્તા બનાવી શકતી નથી જેને કારણે લોકોને વેઠવાનો વારો આવશે. સામે દિવાળીનો તહેવાર છે અને 31 ઓક્ટોમ્બરના રોજ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોઈ સરકારે નવા રોડ બનાવવા કરોડો રૂપિયાની ફાળવણી પણ કરી છે. ત્યારે સામે કોઈ ક્વોરીમાં મટીરીયલ નથી તો તંત્ર કેવી રીતે કામગીરી કરશે. સરકાર જલદી નિર્ણય લે તો ક્વોરી ઉદ્યોગ પુનઃ ધમધમતો થાય તો મટીરીયલ તૈયાર થાય અને રોજગારીની ચિંતા કરતાં 500 મજૂરની રોજગારી યથાવત્ રહેતા તેમની દિવાળી પણ નહિ બગડે તો સરકારે તાત્કાલિક નિર્ણય લેવાની જરૂર છે. ક્વોરી ઉદ્યોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યો નથી. હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન કારણસર ગુજરાતની ખાણોના ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી DEIAA દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા તમામ EC રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી (SEIAA) દ્વારા ફરીથી મૂલ્યાંકનની કાર્યવાહી આગામી તા.26 ઓક્ટોબર 2024 સુધીમાં પૂર્ણ નહીં થાય તો, લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ કવોરીલીઝનું (ATR) બંધ થનાર છે.

Gandhinagar: ક્વોરી એસોસિએશનની બેઠક, 12 દિવસથી ચાલતી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ક્વોરી એસોસિએશનની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. ક્વોરી એસોસિએશનની 12 દિવસથી ચાલતી હડતાળ યથાવત રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કમિશનર સાથેની બેઠકમાં ક્વોરી એસોસિએશન અને કમિશનર સાથે એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સના મુદ્દા પર સહમતી ના બનતાં હડતાળ યથાવત રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર ખાણ ખનીજ સાથે ક્વોરી એસોસિએશનની બેઠક યોજાઈ હતી.

ધંધો-રોજગાર બંધ રાખવા સભ્યોનો નિર્ણય

ગુજરાત ક્વોરી એસોસિએશનના મહામંત્રી અમિત સુથારએ જણાવ્યું હતું કે, કમિશનરની અધ્યક્ષતામાં ક્વોરી એસોસિએશનની બેઠક મળી હતી. કમિશનર દ્વારા પોઝીટીવ અભિગમ અપનાવવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી અમારા જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ આવતું અમને દેખાયું નથી. જેથી કરીને અમે ગુજરાતના સર્વ જિલ્લા પ્રમુખોની મીટિંગ મળી હતી. એ મીટિંગની અંદર સર્વાનુમતે ચર્ચા કરી જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારો ધંધો-રોજગાર બંધ રાખીશું.

પડતર પ્રશ્નોને લઈને હડતાળ કરવામાં આવી

ગુજરાત રાજ્યમાં લીઝ અને લીઝના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળ પાડવામાં આવી છે. હડતાળ પર ઊતરતાં રાજ્યની તમામ ક્વોરીઓ બંધ થઈ ગઈ છે. બીજી બાજુ ભારે વરસાદને કારણે મુખ્ય નેશનલ અને સ્ટેટ હાઇવેથી લઇ જિલ્લાનાં મુખ્ય માર્ગો પણ ખખડધજ થઈ ગયા છે. જેને રિપેર કરવા ડામર કપચી, ડસ્ટ મટીરીયલની જરૂર પડશે, પણ હાલ ક્વોરી બંધ હોય સરકારના નિર્ણયથી તંત્ર રસ્તા બનાવી શકતી નથી જેને કારણે લોકોને વેઠવાનો વારો આવશે. સામે દિવાળીનો તહેવાર છે અને 31 ઓક્ટોમ્બરના રોજ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોઈ સરકારે નવા રોડ બનાવવા કરોડો રૂપિયાની ફાળવણી પણ કરી છે. ત્યારે સામે કોઈ ક્વોરીમાં મટીરીયલ નથી તો તંત્ર કેવી રીતે કામગીરી કરશે. સરકાર જલદી નિર્ણય લે તો ક્વોરી ઉદ્યોગ પુનઃ ધમધમતો થાય તો મટીરીયલ તૈયાર થાય અને રોજગારીની ચિંતા કરતાં 500 મજૂરની રોજગારી યથાવત્ રહેતા તેમની દિવાળી પણ નહિ બગડે તો સરકારે તાત્કાલિક નિર્ણય લેવાની જરૂર છે.

ક્વોરી ઉદ્યોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યો નથી. હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન કારણસર ગુજરાતની ખાણોના ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી DEIAA દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા તમામ EC રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી (SEIAA) દ્વારા ફરીથી મૂલ્યાંકનની કાર્યવાહી આગામી તા.26 ઓક્ટોબર 2024 સુધીમાં પૂર્ણ નહીં થાય તો, લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ કવોરીલીઝનું (ATR) બંધ થનાર છે.