Diwali 2024: વતન જવા માટે અમદાવાદ એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભીડ

અમદાવાદ એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે,દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભીડ ઉમટી છે.બસમાં બેસવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે,રાજસ્થાન,પંચમહાલ,ગોધરા તરફ જતી બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે.એસટી વિભાગ દ્વારા પણ વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. બસમાં બેસવા માટે મુસાફરોની પડાપડી પોતાના વતન જવા માટે સૌ કોઈ ઉત્સાહિત હોય છે ત્યારે મુસાફરોને તકલીફ ના પડે તે માટે એસટી વિભાગ દ્રારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે.બસમાં બેસવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે.દિવાળી પર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તરફ જતી બસોમાં કર્યો છે વધારો.મુસાફરોનો આક્ષેપ છે કે વહેલી સવારથી આવ્યા છે પણ બસો સમય પ્રમાણે મળતી નથી જેના કારણે વતન જવામાં મુશ્કેલી પડી રહી છે.ત્યારે એસટી વિભાગ બસોનું સંચાલન વ્યવસ્થિત કરે તે જરૂરી છે. ઉતર ગુજરાત, દાહોદ અને રાજકોટના રુટમાં વધારાની બસો દોડાવાશે હાલમાં તમામ બસોમાં 100 ટકા બુકિંગ થઈ ગયું છે. દર વર્ષે એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે, જેના કારણે એસટી વિભાગને વધારાની આવક પણ થાય છે. આ વર્ષે પણ 100 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી છે, જેના કારણે 40 લાખ જેટલી આવક થવાની શક્યતા છે. મુસાફરોનો ટ્રાફિક જોતાં 200 જેટલી એકસ્ટ્રા ટ્રીપ કરવા માટેનું આયોજન કર્યું છે. વેકેશનના લીધે વિદ્યાર્થી ટ્રીપો બંધ રહેશે, તે બસોને તાલુકાથી જિલ્લા શટલ સર્વિસમાં ચલાવવામાં આવશે. કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારી દિવાળીના તહેવારમાં પોતાના વતન જતાં હોય છે, જેને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા 100 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. ટ્રાફિક ધ્યાનમાં રાખીને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે બીજી તરફ દિવાળી તહેવાર નિમિત્તે ગુજરાત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રવાસીઓને વતનમાં લાવવા તેમજ પરત લઈ જવા માટે ગુજરાત એસટી બસ નિગમ દ્વારા 200થી વધારે એસટી બસોની સુવિધા કરવામાં આવી છે, જેના પગલે કેટલાય મુસાફરોને તેનો લાભ મળશે.

Diwali 2024: વતન જવા માટે અમદાવાદ એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભીડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે,દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભીડ ઉમટી છે.બસમાં બેસવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે,રાજસ્થાન,પંચમહાલ,ગોધરા તરફ જતી બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે.એસટી વિભાગ દ્વારા પણ વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

બસમાં બેસવા માટે મુસાફરોની પડાપડી

પોતાના વતન જવા માટે સૌ કોઈ ઉત્સાહિત હોય છે ત્યારે મુસાફરોને તકલીફ ના પડે તે માટે એસટી વિભાગ દ્રારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે.બસમાં બેસવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે.દિવાળી પર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તરફ જતી બસોમાં કર્યો છે વધારો.મુસાફરોનો આક્ષેપ છે કે વહેલી સવારથી આવ્યા છે પણ બસો સમય પ્રમાણે મળતી નથી જેના કારણે વતન જવામાં મુશ્કેલી પડી રહી છે.ત્યારે એસટી વિભાગ બસોનું સંચાલન વ્યવસ્થિત કરે તે જરૂરી છે.


ઉતર ગુજરાત, દાહોદ અને રાજકોટના રુટમાં વધારાની બસો દોડાવાશે

હાલમાં તમામ બસોમાં 100 ટકા બુકિંગ થઈ ગયું છે. દર વર્ષે એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે, જેના કારણે એસટી વિભાગને વધારાની આવક પણ થાય છે. આ વર્ષે પણ 100 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી છે, જેના કારણે 40 લાખ જેટલી આવક થવાની શક્યતા છે. મુસાફરોનો ટ્રાફિક જોતાં 200 જેટલી એકસ્ટ્રા ટ્રીપ કરવા માટેનું આયોજન કર્યું છે. વેકેશનના લીધે વિદ્યાર્થી ટ્રીપો બંધ રહેશે, તે બસોને તાલુકાથી જિલ્લા શટલ સર્વિસમાં ચલાવવામાં આવશે. કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારી દિવાળીના તહેવારમાં પોતાના વતન જતાં હોય છે, જેને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા 100 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે.

ટ્રાફિક ધ્યાનમાં રાખીને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે

બીજી તરફ દિવાળી તહેવાર નિમિત્તે ગુજરાત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રવાસીઓને વતનમાં લાવવા તેમજ પરત લઈ જવા માટે ગુજરાત એસટી બસ નિગમ દ્વારા 200થી વધારે એસટી બસોની સુવિધા કરવામાં આવી છે, જેના પગલે કેટલાય મુસાફરોને તેનો લાભ મળશે.