Dahodના તોરણી ગામે આચાર્યએ બાળકીની કરી હત્યા, શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના

દાહોદમાં સીંગવડમાં 6 વર્ષીય બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો,જેમાં દાહોદ એસપી,એલસીબીની ટીમ,ક્રાઈમની ટીમ આરોપીને શોધવા ધંધે લાગી હતી,પોલીસે આ સમગ્ર ઘટનાને કેસ ઉકેલી નાખ્યો છે અને આખરે તોરણી ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ બાળકીની ગળુ દબાવીને હત્યા કરી હોવાની વાત સામે આવી છે,પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ગળુ દબાવીને બાળકીની કરી હત્યા દાહોદના સીંગવડમાં 20 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો,બાળકી શાળાએથી ઘરે ના આવતા તેના માતા-પિતાએ પોલીસમાં અરજી કરી હતી અને પોલીસે તે અરજીના આધારે ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી,બાળકીના પીએમ રીપોર્ટમાં તેની હત્યા થઈ હોવાની વાત સામે આવી છે જેને લઈ પોલીસ વધુ સતર્ક બની હતી અને આખરે શાળાના આચાર્યની પૂછપરછ કરતા ગોવિંદ નટે કબૂલ્યું કે તેણે જ બાળકીની હત્યા કરી છે. આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતોસમગ્ર ઘટનામાં વાત એમ છે કે શાળા છૂટયા પછી બાળકી ઘરે જઈ રહી હતી અને તે દરમિયાન આચાર્યએ તેને કહ્યું કે તને ઘરે મૂકી જઉ એમ કરીને કારમાં બેસાડી ત્યારબાદ બાળકી સાથે અડપલા શરૂ કરીને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો,બાળકીએ બુમાબુમ કરતા આચાર્ય દુષ્કર્મ કરી ના શકયો અને રસ્તામાં જ તેનું ગળુ દબાવ્યું અને હત્યા કરીને મૃતદેહને શાળાના કમ્પાઉન્ડમાં મૂકી દીધો હતો,પોલીસને આચાર્ય પર શંકા જતા તેની પૂછપરછ હાથધરી હતી. હત્યાને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સમગ્ર ઘટનાને લઈ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું હતુ અને કહ્યું કે,હેવાનીયત કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી થશે સાથે સાથે ગુરુની ગરિમાને લાંછન લાગે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે જેથી તેને છોડવામાં નહી આવે.મૃતદેહને લઈ તપાસ હજી પણ ચાલુ છે અને તેને ન્યાય મળે તેવા પ્રયત્નો ચૌક્કસ કરવામાં આવશે,જિલ્લા પોલીસવડાને આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે અને આચાર્યને વહેલી તકે સજા મળશે એ પણ નક્કી છે.  

Dahodના તોરણી ગામે આચાર્યએ બાળકીની કરી હત્યા, શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદમાં સીંગવડમાં 6 વર્ષીય બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો,જેમાં દાહોદ એસપી,એલસીબીની ટીમ,ક્રાઈમની ટીમ આરોપીને શોધવા ધંધે લાગી હતી,પોલીસે આ સમગ્ર ઘટનાને કેસ ઉકેલી નાખ્યો છે અને આખરે તોરણી ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ બાળકીની ગળુ દબાવીને હત્યા કરી હોવાની વાત સામે આવી છે,પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ગળુ દબાવીને બાળકીની કરી હત્યા

દાહોદના સીંગવડમાં 20 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો,બાળકી શાળાએથી ઘરે ના આવતા તેના માતા-પિતાએ પોલીસમાં અરજી કરી હતી અને પોલીસે તે અરજીના આધારે ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી,બાળકીના પીએમ રીપોર્ટમાં તેની હત્યા થઈ હોવાની વાત સામે આવી છે જેને લઈ પોલીસ વધુ સતર્ક બની હતી અને આખરે શાળાના આચાર્યની પૂછપરછ કરતા ગોવિંદ નટે કબૂલ્યું કે તેણે જ બાળકીની હત્યા કરી છે.

આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો

સમગ્ર ઘટનામાં વાત એમ છે કે શાળા છૂટયા પછી બાળકી ઘરે જઈ રહી હતી અને તે દરમિયાન આચાર્યએ તેને કહ્યું કે તને ઘરે મૂકી જઉ એમ કરીને કારમાં બેસાડી ત્યારબાદ બાળકી સાથે અડપલા શરૂ કરીને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો,બાળકીએ બુમાબુમ કરતા આચાર્ય દુષ્કર્મ કરી ના શકયો અને રસ્તામાં જ તેનું ગળુ દબાવ્યું અને હત્યા કરીને મૃતદેહને શાળાના કમ્પાઉન્ડમાં મૂકી દીધો હતો,પોલીસને આચાર્ય પર શંકા જતા તેની પૂછપરછ હાથધરી હતી.

હત્યાને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન

સમગ્ર ઘટનાને લઈ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું હતુ અને કહ્યું કે,હેવાનીયત કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી થશે સાથે સાથે ગુરુની ગરિમાને લાંછન લાગે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે જેથી તેને છોડવામાં નહી આવે.મૃતદેહને લઈ તપાસ હજી પણ ચાલુ છે અને તેને ન્યાય મળે તેવા પ્રયત્નો ચૌક્કસ કરવામાં આવશે,જિલ્લા પોલીસવડાને આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે અને આચાર્યને વહેલી તકે સજા મળશે એ પણ નક્કી છે.