Bhavnagarમાં 3 મહિનામાં કોલેરાના 400 દર્દીઓ નોંધાયા, રોગચાળાએ ઉંચકયુ માથું

ભાવનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો શહેર અને જિલ્લામાં કોલેરાએ લીધો ભરડો 3 મહિનામાં કોલેરાના 400 દર્દીઓ નોંધાયા ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે,રોગચાળો એ હદે વકર્યો કે 3 મહિનામાં કોલેરાના 400 દર્દીઓ નોંધાયા છે.સાથે સાથે ડેન્ગ્યૂ, ટાઇફોઈડ, મેલેરિયાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે.ડેન્ગ્યૂના 58, મેલેરિયાના 12 દર્દીઓ નોંધાયા છે તો ટાઇફોઈડના 54, ઝાડા-ઉલ્ટીના 2651 કેસ નોંધાયા છે. ભાવનગરમાં રોગચાળો વકર્યો ચોમાસાની પરિસ્થિતિમાં પાણી અને મચ્છરજન્ય બીમારીનો રાફડો ફાટયો છે.શહેર અને જિલ્લામાં કોલેરાએ ભરડો લીધો છે.ત્રણ માસમાં કોલેરાના 400 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરમાં ગંદકી જોવા મળે છે તેમજ ખાડામાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે.પાણી ભરાવાના કારણે તેમાંથી મચ્છરો ઉપદ્રવે છે,શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો રોગચાળો વકરે નહી. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.  

Bhavnagarમાં 3 મહિનામાં કોલેરાના 400 દર્દીઓ નોંધાયા, રોગચાળાએ ઉંચકયુ માથું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
  • શહેર અને જિલ્લામાં કોલેરાએ લીધો ભરડો
  • 3 મહિનામાં કોલેરાના 400 દર્દીઓ નોંધાયા

ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે,રોગચાળો એ હદે વકર્યો કે 3 મહિનામાં કોલેરાના 400 દર્દીઓ નોંધાયા છે.સાથે સાથે ડેન્ગ્યૂ, ટાઇફોઈડ, મેલેરિયાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે.ડેન્ગ્યૂના 58, મેલેરિયાના 12 દર્દીઓ નોંધાયા છે તો ટાઇફોઈડના 54, ઝાડા-ઉલ્ટીના 2651 કેસ નોંધાયા છે.

ભાવનગરમાં રોગચાળો વકર્યો

ચોમાસાની પરિસ્થિતિમાં પાણી અને મચ્છરજન્ય બીમારીનો રાફડો ફાટયો છે.શહેર અને જિલ્લામાં કોલેરાએ ભરડો લીધો છે.ત્રણ માસમાં કોલેરાના 400 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરમાં ગંદકી જોવા મળે છે તેમજ ખાડામાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે.પાણી ભરાવાના કારણે તેમાંથી મચ્છરો ઉપદ્રવે છે,શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો રોગચાળો વકરે નહી.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.