Bharuch: GNFCના નિવૃત્ત કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી ઠગાઈ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચના જીએનએફસી ટાઉનશીપ પાસે આવેલી મુકતાનંદ સોસાયટીમાં રહેતાં 68 વર્ષીય અંબાલાલ ઉદેસિંહ પરમાર જીએનએફસીમાંથી સિનિ.ઓપરેટર તરીકે નિવૃત્ત થયાં હતાં. ગત 17મી એપ્રિલના રોજ તેમનો પુત્ર તેના પરિવાર સાથે પાદરા તેની સાસરીમાં ગયો હતો. દરમિયાન સવારના સવાનવ વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ પર એક મહિલાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યુ હતું કે, તમારા નામથી એક સિમકાર્ડ ખરીદવામાં આવ્યો છે. અને તે સિમકાર્ડથી 16 જેના ગુના આચરવામાં આવ્યા હોવાની ફરિયાદ આવી છે.
જેથી તમારા નામ પર સિમકાર્ડ ખરીદનાર પર ફરિયાદ કરવી છે કે નહીં તેમ કહેતાં તેમણે હા પાડતાં તેમના મોબાઈલ પર વ્હોટ્સએપ પર પોલીસ અધિકારીનો ફોન આવશે અને શું કાર્યવાહી કરવાની છે તે જણાવશે તેમ કહીં ફોન કાપ્યો હતો. બાદમાં તેમના મોબાઈલ પર વ્હોટ્સએપ વિડિયોકોલ આવતાં તેમણે ફોન ઉપાડતાં સ્ક્રિન પર કોલાબા પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, મુંબઈનો લોકો દેખાતો હતો. તેણે પોતાનો વિડિયો બંધ રાખ્યો હતો. અને પોતાની ઓળખ પ્રિયા અગ્રવાલ તરીકે આપી હતી. દરમિયાનમાં વિડિયો કોલમાં એક પુરુષ પોલીસ યુનિફોર્મમાં ઉભેલો જણાયો હતો. બાદમાં વિડિયો બંધ થઈ ગયો હતો. જે બાદ તેમને વિવિધ પ્રકારની પુછપરછ કરી તેમને જણાવ્યું હતું કે, તેમના નામે કેનેરા બેન્કમાં ખાતું ખોલવામાં આવ્યું છે.
તેમજ તે એકાઉન્ટની મદદથી મનીલોન્ડરીંગ કરવામાં આવી છે. અને મામલામાં નરેશ ગોયેલ નામના વ્યક્તિ પાસેથી તેના પુરાવા મળ્યાં છે. અને સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા તરફથી તમારા નામે એરેસ્ટ વોરંટ નિકળ્યો છે. તમારે બચવું હોય તો અમે કહીએ તેમ કરવું પડશે તેમ કહીં તેમને ધમકાવ્યાં હતાં. જે બાદ તબક્કાવાર તેમને ફોન કરી ધમકાવી તેમના એફડીના અને બેન્ક ખાતામાના રુપિયા મળી કુલ 40 લાખ રુપિયા અન્ય એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. બાદમાં તેમને જાણ થઈ હતી કે તેમની સાથે ઠગાઈ થઈ છે. ઘટનાને પગલે તેમણે ભરુચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીના સાગરિતોને શોધવાની કવાયત હાથ ધરી છે.
What's Your Reaction?






