Bharuchમાં મનરેગા કૌંભાડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની ધરપકડ કરાઈ, આચર્યુ કરોડોનું કૌંભાડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે, કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે, ભરુચ એ ડિવિઝને હીરા જોટવાની કરી પૂછપરછ અને હાંસોટ તા.પં.ના ઓપરેટર હિરેન ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે, ભરૂચના 58 ગામોમાં 7.50 કરોડનું મનરેગા કૌભાંડ કરવામાં આવ્યું છે.
મનરેગા કૌંભાડમાં કોંગ્રેસ નેતાની ધરપકડ કરાઈ
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે, મોડી રાત્રીએ હીરા જોટવાને ભરૂચ લવાયા છે અને પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી છે, ભરૂચ એ ડિવિઝન ખાતે હીરા જોટવાની કરાઈ પૂછપરછ અને ભરૂચ પોલીસે ગીર સોમનાથથી કરી હતી અટકાયત, હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર હિરેન ટેલરની પણ કૌંભાડમાં પૂછપરછ કરવામાં આવી છે, ભરૂચ જીલ્લાના 58 ગામોમાં 7.50 કરોડનું મનરેગા કૌભાંડમાં ગેરરીતિની નોંધાઈ છે ફરિયાદ.
ભરૂચ એ ડિવિઝન પોલીસે નોંધી ફરિયાદ
ગીર સોમનાથના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલાં 430 કામમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ ગ્રામ વિકાસ એજન્સીના પ્રાયોજના અધિકારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. અગાઉ પણ મંત્રીના બે પુત્રો દાહોદમાં મનરેગા કૌંભાડમાં ઝડપાયા હતા.
આમોદ, જંબુસર, હાંસોટમાં ઉચાપતની ફરિયાદ
મનરેગા કૌંભાડને લઈ આમોદ, જંબુસર, હાંસોટમા ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે, કૌંભાડ હેઠળ કરોડોની ઉચાપત થઈ હોવાની વાત છે જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એન્જસી, મુરલીધર એન્ટરપ્રાઈઝ અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે. કામ થયું નથી અને તેના રૂપિયા સીધા ચૂકવી દેવામાં આવ્યા હોવાની વાત છે, તો 56 ગામોમાં આ કૌંભાડનો રેલો પહોંચ્યો છે, અને એજન્સીઓને કોના આશીર્વાદથી આ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી તે ખબર નથી.
મનરેગા યોજના શું છે
આ મનરેગા યોજનાની યોજનાની વાત કરીએ તો ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર હેઠળ આ યોજના કામ કરે છે, આ યોજનામાં ઓછામાં ઓછા 100 દિવસની વેતન રોજગારી પૂરી પાડવાનો અને ગ્રામીણ વિસ્તારમાં આજીવિકા વધારવાનો છે, આ યોજનામાં 365 દિવસથી 100 દિવસ રોજગારી આપવાની વાત છે.
What's Your Reaction?






