Bharuch:જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

Jun 8, 2025 - 04:00
Bharuch:જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરાઈ હતી. શહેર જિલ્લામાં શનિવારે વહેલી સવારે મસ્જિદોમાં ઇદની નમાઝ અદા કરીને એક બીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.

ભરૂચ શહેર જિલ્લામાં શનિવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરી હતી. ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ સલામની યાદમાં ઈદ-ઉલ-અઝહા (બકરા ઈદ)નો તહેવાર મનાવવામાં આવે છે. વહેલી સવારે શહેર અને ગામડાઓની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાજ અદા કરી નાના-મોટાઓ એક-બીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી. ભરૂચ શહેરમાં ઈદગાહ ખાતે બકરી ઇદની વિષેશ નમાઝ અદા કરાઈ હતી. ઈદ-ઉલ-અઝહાના તહેવાર નિમિત્તે પોતાના મરહુમ સ્વજનોની માટે દુઆ કરવા મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઈને ત્યાં સ્વજનોની કબરને ફૂલ ચડાવી ફતિયા પઢીને તેમને યાદ કર્યા હતા. ત્યારબાદ હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ સલામની યાદમાં કુરબાની કરી હતી. સાંજના સમયે પરિવારો શહેરમાં આવેલા હરવા- ફરવાના સ્થળોએ ઉમટી પડી તહેવારની ઉજવણી કરવા ઉત્સાહભેર ઉમટી પડયા હતા. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પાલેજ પંથકમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદુલ અઝહા પર્વની ઉલ્લાસભેર ઉજવણી

પાલેજ : ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમુદાય દ્વારા ત્યાગ અને બલિદાનના સમા ઇદુલ અઝહા પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી. પાલેજ નગરની વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડયા હતા. ચિશ્તીયા નગર સ્થિત હજરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ મક્કા મસ્જિદમાં ઇદની વિશેષ નમાઝ અદા કરી હતી. મુસ્લિમ બિરાદરોએ પણ એકબીજાને ગળે લગાડી ઇદની મુબારકબાદી પાઠવી હતી. મક્કા મસ્જિદના ઇમામ સાહેબે ઇદની વિશેષ નમાઝ અદા કરાવી દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજારી હતી. ઇદ નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઇદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ દરગાહ શરીફ્ પર પહોંચી જિયારત કરી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0