Banaskanthaના ધાનેરામાં ફૂડ વિભાગે 703 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કર્યો જપ્ત

બનાસકાંઠાના ધાનેરામાં ફૂડ વિભાગે 703 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.ફૂડ વિભાગે દરોડા પાડીને આ જથ્થો જપ્ત કર્યો છે.સાગરનું લેબલ લગાવીને આ ઘીના જથ્થાનું વેચાણ કરવામાં આવતું હતુ,ફૂડ વિભાગે 91 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી છે,એક ગોડાઉન રાખીને આ ઘીના જથ્થાનું વેચાણ કરવામાં આવતું હતુ. ભેળસેળીયા વેપારીઓ થયા બેફામ બનાસકાંઠામાં ભેળસેળીયા વેપારીઓ બેફામ થયા છે.ઘી માં અન્ય પદાર્થો ભેળસેળ કરીને ઘી ના જથ્થાનું વેચાણ થતુ હોવાની વાત સામે આવતા ફૂડ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી છે.ફૂડ વિભાગની બાતમી મળી હતી કે સાગર ઘીના નામે લેબલ બનાવીને બજારમાં ઘી નું વેચાણ કરવામાં આવે છે ત્યારે આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા અને કાર્યવાહી કરી હતી,સાથે સાથે ઘીના નમૂના લઈ તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા,ત્યારે શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું. 13-10-2024ના રોજ સુરતમાં પણ આરોગ્ય વિભાગે ઘીના લીધા નમૂના સુરતમાં બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા સેલ્સમેનની અડાજણ પોલીસે ધરપકડ કરી હતી.અડાજણમાં આઈ માતા સુપર સ્ટોરમાંથી આ ઘી ઝડપાયું હતુ.ડુપ્લીકેટ ઘીના 9 ડબ્બા પોલીસે જપ્ત કરીને એફએસેલમાં મોકલી આપ્યા હતા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી.દુકાન માલિક હરિરામ ચૌધરીની પોલીસે ધરપકડ કરીને વધુ માહિતી જપ્ત કરી છે. કઈ રીતે ચેક કરી શકાય કે ઘી અસલી છે કે નકલી ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.  

Banaskanthaના ધાનેરામાં ફૂડ વિભાગે 703 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કર્યો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના ધાનેરામાં ફૂડ વિભાગે 703 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.ફૂડ વિભાગે દરોડા પાડીને આ જથ્થો જપ્ત કર્યો છે.સાગરનું લેબલ લગાવીને આ ઘીના જથ્થાનું વેચાણ કરવામાં આવતું હતુ,ફૂડ વિભાગે 91 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી છે,એક ગોડાઉન રાખીને આ ઘીના જથ્થાનું વેચાણ કરવામાં આવતું હતુ.

ભેળસેળીયા વેપારીઓ થયા બેફામ

બનાસકાંઠામાં ભેળસેળીયા વેપારીઓ બેફામ થયા છે.ઘી માં અન્ય પદાર્થો ભેળસેળ કરીને ઘી ના જથ્થાનું વેચાણ થતુ હોવાની વાત સામે આવતા ફૂડ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી છે.ફૂડ વિભાગની બાતમી મળી હતી કે સાગર ઘીના નામે લેબલ બનાવીને બજારમાં ઘી નું વેચાણ કરવામાં આવે છે ત્યારે આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા અને કાર્યવાહી કરી હતી,સાથે સાથે ઘીના નમૂના લઈ તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા,ત્યારે શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું.

13-10-2024ના રોજ સુરતમાં પણ આરોગ્ય વિભાગે ઘીના લીધા નમૂના

સુરતમાં બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા સેલ્સમેનની અડાજણ પોલીસે ધરપકડ કરી હતી.અડાજણમાં આઈ માતા સુપર સ્ટોરમાંથી આ ઘી ઝડપાયું હતુ.ડુપ્લીકેટ ઘીના 9 ડબ્બા પોલીસે જપ્ત કરીને એફએસેલમાં મોકલી આપ્યા હતા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી.દુકાન માલિક હરિરામ ચૌધરીની પોલીસે ધરપકડ કરીને વધુ માહિતી જપ્ત કરી છે.

કઈ રીતે ચેક કરી શકાય કે ઘી અસલી છે કે નકલી

ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.