Anand: ઉમરેઠમાં મીની વાવાઝોડાથી ખેડૂતોના ઉભા પાકને મોટુ નુકસાન, સહાયની માગ

આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં સોમવાર અને મંગળવારની રાત્રે મીની વાવાઝોડું ફૂંકાવા સાથે ભારે વરસાદ થતાં એક હજાર હેકટરથી વધુ જમીનમા ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ જતાં ખેડૂતોને ભારે નુક્સાન થયુ છે અને નવરાત્રિ તેમજ દિવાળીના તહેવાર પણ બગડ્યા છે.ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો ઉમરેઠ પંથકમાં ગત સોમવાર અને મંગળવારની રાત્રે ઝડપી પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ વરસતા આ મીની વાવાઝોડામાં ઉમરેઠ સીમ વિસ્તાર તેમજ લીંગડા, જાખલા સહિત ગામની સિમ વિસ્તારમાં અંદાજે એક હજાર હેકટરથી વધુ જમીનમા ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોના પરિવારજનના નવરાત્રિ અને દિવાળીના તહેવાર બગડ્યા ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ અને ખાતર પાછળ વિઘા દીઠ 12થી 15 હજારનો ખર્ચ કરી અને મહેનત, મજૂરી કરતા ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો અને આ વખતે મબલખ ઉત્પાદન થશે અને સારો ભાવ મળતાં પરિવાર સાથે સારી રીતે નવરાત્રિ અને દિવાળીના તહેવાર ઉજવી શકાશે તેવી આશાઓ સજાવી બેઠા હતા. સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માગ પરંતુ ગત સોમવાર અને મંગળવારની રાત્રે મીની વાવાઝોડું ફૂંકાવા સાથે થયેલા ભારે વરસાદમાં ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ જતા ખેડૂતોના અરમાનો પર પાણી ફરી વળતાં ખેડૂતોને હવે પાયમાલ થવાનો વારો આવ્યો છે. ડાંગરનો પાક નાશ પામતા પાક પાછળ કરેલો ખર્ચ પણ વળે તેમ નથી, જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ ઉઠ્યા છે અને સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.મહિસાગર નદીના પાણીમાં 11 પશુપાલકો ફસાયા મહિસાગર નદીના પાણીમાં 11 પશુપાલકો ફસાયા છે. પશુપાલકો સાથે 200થી વધુ પશુઓ પણ તણાયા હોવાની જાણકારી મળી રહી છે. નદીમાં પ્રાણીના પ્રવાહમાં પશુઓ તણાયા છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા પશુઓ તણાવા લાગ્યા હતા. મહિસાગર નદીમાં પાણી છોડાતા પશુઓ ફસાયા હતા અને સ્થાનિકોએ 11 પશુપાલકોનું રેસ્ક્યુ કર્યું હતું. જો કે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 

Anand: ઉમરેઠમાં મીની વાવાઝોડાથી ખેડૂતોના ઉભા પાકને મોટુ નુકસાન, સહાયની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં સોમવાર અને મંગળવારની રાત્રે મીની વાવાઝોડું ફૂંકાવા સાથે ભારે વરસાદ થતાં એક હજાર હેકટરથી વધુ જમીનમા ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ જતાં ખેડૂતોને ભારે નુક્સાન થયુ છે અને નવરાત્રિ તેમજ દિવાળીના તહેવાર પણ બગડ્યા છે.

ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો

ઉમરેઠ પંથકમાં ગત સોમવાર અને મંગળવારની રાત્રે ઝડપી પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ વરસતા આ મીની વાવાઝોડામાં ઉમરેઠ સીમ વિસ્તાર તેમજ લીંગડા, જાખલા સહિત ગામની સિમ વિસ્તારમાં અંદાજે એક હજાર હેકટરથી વધુ જમીનમા ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.


ખેડૂતોના પરિવારજનના નવરાત્રિ અને દિવાળીના તહેવાર બગડ્યા

ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ અને ખાતર પાછળ વિઘા દીઠ 12થી 15 હજારનો ખર્ચ કરી અને મહેનત, મજૂરી કરતા ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો અને આ વખતે મબલખ ઉત્પાદન થશે અને સારો ભાવ મળતાં પરિવાર સાથે સારી રીતે નવરાત્રિ અને દિવાળીના તહેવાર ઉજવી શકાશે તેવી આશાઓ સજાવી બેઠા હતા.

સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માગ

પરંતુ ગત સોમવાર અને મંગળવારની રાત્રે મીની વાવાઝોડું ફૂંકાવા સાથે થયેલા ભારે વરસાદમાં ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ જતા ખેડૂતોના અરમાનો પર પાણી ફરી વળતાં ખેડૂતોને હવે પાયમાલ થવાનો વારો આવ્યો છે. ડાંગરનો પાક નાશ પામતા પાક પાછળ કરેલો ખર્ચ પણ વળે તેમ નથી, જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ ઉઠ્યા છે અને સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

મહિસાગર નદીના પાણીમાં 11 પશુપાલકો ફસાયા

મહિસાગર નદીના પાણીમાં 11 પશુપાલકો ફસાયા છે. પશુપાલકો સાથે 200થી વધુ પશુઓ પણ તણાયા હોવાની જાણકારી મળી રહી છે. નદીમાં પ્રાણીના પ્રવાહમાં પશુઓ તણાયા છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા પશુઓ તણાવા લાગ્યા હતા. મહિસાગર નદીમાં પાણી છોડાતા પશુઓ ફસાયા હતા અને સ્થાનિકોએ 11 પશુપાલકોનું રેસ્ક્યુ કર્યું હતું. જો કે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.