Anand: બોરસદમાં 250થી વધુ દબાણો કરાયા દૂર, 60 કરોડની જમીન કરાઈ ખુલ્લી

Jun 9, 2025 - 23:00
Anand: બોરસદમાં 250થી વધુ દબાણો કરાયા દૂર, 60 કરોડની જમીન કરાઈ ખુલ્લી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલમાં રાજ્યભરમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણ કરી અને જગ્યાઓ પચાવી પાડનારા તત્વો સામે સરકાર આકરા પગલા ભરી રહી છે અને ડિમોલિશન કરીને આ જગ્યાઓને ખુલ્લી કરવામાં આવી રહી છે. ત્યારે આણંદના બોરસદમાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને કરોડો રૂપિયાની સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી છે. બોરસદમાં પોલીસે વર્ષો જુના દબાણો હટાવીને જગ્યાઓ ખુલ્લી કરાવી છે.

જીમખાના, પોલીસ મથકના સામેના દબાણો હટાવાયા

સરકાર દ્વારા પોલીસ વિભાગના નામે કરાયેલી જગ્યાઓ પર 250 કરતા વધારે દબાણો ખડકાઈ ગયા હતા, તે તમામ જગ્યાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 250 કરતા વધારે ઝુંપડા, કાચા પાકા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે અને કૂલ 600 ગુંઠા સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. અંદાજિત 60 કરોડની જમીન પર ખડકાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે. 1 હિટાચી મશીન, 5 જેસીબી મશીન વડે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. જીમખાના મેદાન અને પોલીસ સ્ટેશન સામે આવેલી જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે.

વાલિયા તાલુકામાં દબાણો દૂર કરવામાં આવ્યા

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ધોળગામ ગ્રામ પંચાયતમાં આવેલા ધોળગામ અને આમલા ગભાણ ગામે સરકારી ગૌચર અને ગામ તળમાં કેટલાક ઈસમોએ દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા નહતા અને ત્યારબાદ સરપંચ, તલાટી સહિતના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમ્યાન આમલા ગભાણ ગામે ત્રણ દબાણકર્તાઓએ દબાણ હટાવવા મુદ્દત માગતા તેઓને ગ્રામ પંચાયત દ્વારા મુદ્દત આપવામાં આવી હતી. જ્યારે ધોળગામના ત્રણ રસ્તાથી ગામના છેડા સુધીના તમામ ગેરકાદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0