Amreli જિલ્લાના આ રોડ પર જતા પહેલા વિચારજો, નહીતર હાડકા ભાગવાનું નક્કી

અમરેલી જિલ્લામાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે ત્યારે રોડ બિસ્માર બન્યા છે અને ઠેર ઠેર ખાડા રાજ નિર્માણ પામ્યું છે તેમ ખરબચડો માર્ગ થઈ જતા વાહનચાલકોને પારાવાર પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે ખાંભાથી રાજુલા જવાનો સ્ટેટ હાઇવે રોડ કમરતોડ બની જતા સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકો દ્વારા આ રોડ વહેલી તકે સમાર કામ કરવાની માંગ ઉઠવા પામી છે. વાહનચાલકોને પડી રહી છે મુશ્કેલી આ છે અમરેલી જિલ્લાના ખાંભાથી થોરડી આસંગ રાજુલા ,પીપાવાવ સાવરકુંડલાને જોડતો સ્ટેટ હાઇવેનો મુખ્ય માર્ગ. આ રોડ ખખડધજ બની ગયો છે ડામર જેવું નામ નિશાન આ માર્ગ પરથી નીકળી ગયું હોય તેવો અતિ બિસ્માર માર્ગ બની જતા વાહન ચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે જ્યારે આ માર્ગ ખખડધજ હોવાથી વાહનો અકસ્માતે ભોગ બની રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે અમરેલી જિલ્લામાં ચોમાસા વરસાદે વિરામ લીધો છે પરંતુ હાલ રોડ રસ્તા બિસ્માર હાલત માં છે ત્યારે સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન બન્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે ખાંભાથી રાજુલા પીપાવાવ જતા રાહદારી ઓ ત્રાહિમામ પોકારી ઊઠે છે ત્યારે આ માર્ગ ખરબચડો બની જતા તંત્રની લાપરવાહીની પોલ ખુલી જવા પામી છે અને તંત્ર આવી કમરતોડ રસ્તાની મરામત વહેલી તકે નહી કરે તો અનેક અકસ્માતો આ માર્ગ પર સર્જાવાની ગંભીર દહેશતો સર્જાઈ છે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.

Amreli જિલ્લાના આ રોડ પર જતા પહેલા વિચારજો, નહીતર હાડકા ભાગવાનું નક્કી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લામાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે ત્યારે રોડ બિસ્માર બન્યા છે અને ઠેર ઠેર ખાડા રાજ નિર્માણ પામ્યું છે તેમ ખરબચડો માર્ગ થઈ જતા વાહનચાલકોને પારાવાર પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે ખાંભાથી રાજુલા જવાનો સ્ટેટ હાઇવે રોડ કમરતોડ બની જતા સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકો દ્વારા આ રોડ વહેલી તકે સમાર કામ કરવાની માંગ ઉઠવા પામી છે.

વાહનચાલકોને પડી રહી છે મુશ્કેલી

આ છે અમરેલી જિલ્લાના ખાંભાથી થોરડી આસંગ રાજુલા ,પીપાવાવ સાવરકુંડલાને જોડતો સ્ટેટ હાઇવેનો મુખ્ય માર્ગ. આ રોડ ખખડધજ બની ગયો છે ડામર જેવું નામ નિશાન આ માર્ગ પરથી નીકળી ગયું હોય તેવો અતિ બિસ્માર માર્ગ બની જતા વાહન ચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે જ્યારે આ માર્ગ ખખડધજ હોવાથી વાહનો અકસ્માતે ભોગ બની રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.


અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે

અમરેલી જિલ્લામાં ચોમાસા વરસાદે વિરામ લીધો છે પરંતુ હાલ રોડ રસ્તા બિસ્માર હાલત માં છે ત્યારે સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન બન્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે ખાંભાથી રાજુલા પીપાવાવ જતા રાહદારી ઓ ત્રાહિમામ પોકારી ઊઠે છે ત્યારે આ માર્ગ ખરબચડો બની જતા તંત્રની લાપરવાહીની પોલ ખુલી જવા પામી છે અને તંત્ર આવી કમરતોડ રસ્તાની મરામત વહેલી તકે નહી કરે તો અનેક અકસ્માતો આ માર્ગ પર સર્જાવાની ગંભીર દહેશતો સર્જાઈ છે.

1470 કરોડ રોડ માટે ફાળવ્યા

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.

ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે

ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.