Ahmedabadમાં રોડ પર ભૂવો પડવાનો સિલસિલો યથાવત, સ્થાનિકોમાં જોવા મળ્યો ભારે આક્રોશ

અમદાવાદ શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે શહેરમાં ફરી એકવાર ભૂવો પડયો છે,ઘાટલોડીયાના રન્નાપાર્ક પાસે ભૂવો પડયો છે,તંત્રના પાપે આખો રોડ બંધ કરી દેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ભૂવાની આજુબાજુનો રોડ બેસી જતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.સ્થાનિકોનું કહેવું છે કે પહેલા પણ આ જ જગ્યા પર ભૂવો પડયો હતો જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા પણ રહે છે. રોડની નબળી કામગીરીથી પડયો ભૂવો અમદાવાદ શહેરમાં ફરી ભૂવો પડયો છે,ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ રન્નાપાર્કમાં ફરી રોડ પર ભૂવો પડયો છે જેના કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી છે,સ્થાનિકોએ તંત્ર સામે રોશ ઠાલવ્યો છે.તંત્રએ હજી પણ રોડ પર કામગીરી શરૂ કરાવી નથી જેના કારણે ટ્રાફિક જામની સાથે લોકોને રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી પણ પડી રહી છે,તંત્રએ હાલમાં બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો છે.ત્રણ દિવસથી ભૂવો પડયો છે તેમ છત્તા કોઈ કામગીરી કરાતી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ચોમાસું ગયુ તેમ છત્તા ભૂવા પડે છે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેમ છત્તા ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે.અમદાવાદ શહેરમાં અત્યારસુધી અનેક વિસ્તારોમાં ભૂવા પડયા છે જેના કારણે સ્થાનિકોમાં રોશ જોવા મળ્યો છે,અમદાવાદ શહેર વિકસિત શહેર છે પરંતુ રોડ બનાવવામાં કોન્ટ્રાકટરો બેદરકારી દાખવે છે જેના કારણે ભૂવા પડે છે,ડામર સરખો લગાવવામાં આવતો નથી અને કપચી પાથરી દેવામાં આવે છે એટલે કપચી ઉખડી જાય છે અને રોડ પર ભૂવો પડી જાય છે. નહેરૂનગર વિસ્તારમાં પણ પડયો ભૂવો શહેરના અલગ અલગ માર્ગો પર ભૂવા પડવાનો સિલસિલો અટક્યો નથી. શહેરના અતિવ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા નહેરૂનગર વિસ્તારમાં વધુ એક મહાકાય ભૂવો પડ્યો છે. નહેરૂનગર ચાર રસ્તા પાસે ભૂવો પડ્યા બાદ તંત્ર માત્ર બેરિકેડ મુકીને સંતોષ માની રહ્યુ છે. હાલ તેને પૂરવાનું કોઈ કામ હાથ ધરાયુ નથી. અહીથી અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર હાલાકી વેઠવી પડે છે પરંતુ તંત્રને તેમની સમસ્યાની કંઈ પડી નથી. અહીંના સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે ભૂવાના સમારકામમાં તંત્ર લાલિયાવાડી દાખવી રહ્યુ છે.

Ahmedabadમાં રોડ પર ભૂવો પડવાનો સિલસિલો યથાવત, સ્થાનિકોમાં જોવા મળ્યો ભારે આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે શહેરમાં ફરી એકવાર ભૂવો પડયો છે,ઘાટલોડીયાના રન્નાપાર્ક પાસે ભૂવો પડયો છે,તંત્રના પાપે આખો રોડ બંધ કરી દેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ભૂવાની આજુબાજુનો રોડ બેસી જતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.સ્થાનિકોનું કહેવું છે કે પહેલા પણ આ જ જગ્યા પર ભૂવો પડયો હતો જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા પણ રહે છે.

રોડની નબળી કામગીરીથી પડયો ભૂવો

અમદાવાદ શહેરમાં ફરી ભૂવો પડયો છે,ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ રન્નાપાર્કમાં ફરી રોડ પર ભૂવો પડયો છે જેના કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી છે,સ્થાનિકોએ તંત્ર સામે રોશ ઠાલવ્યો છે.તંત્રએ હજી પણ રોડ પર કામગીરી શરૂ કરાવી નથી જેના કારણે ટ્રાફિક જામની સાથે લોકોને રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી પણ પડી રહી છે,તંત્રએ હાલમાં બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો છે.ત્રણ દિવસથી ભૂવો પડયો છે તેમ છત્તા કોઈ કામગીરી કરાતી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.


ચોમાસું ગયુ તેમ છત્તા ભૂવા પડે છે

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેમ છત્તા ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે.અમદાવાદ શહેરમાં અત્યારસુધી અનેક વિસ્તારોમાં ભૂવા પડયા છે જેના કારણે સ્થાનિકોમાં રોશ જોવા મળ્યો છે,અમદાવાદ શહેર વિકસિત શહેર છે પરંતુ રોડ બનાવવામાં કોન્ટ્રાકટરો બેદરકારી દાખવે છે જેના કારણે ભૂવા પડે છે,ડામર સરખો લગાવવામાં આવતો નથી અને કપચી પાથરી દેવામાં આવે છે એટલે કપચી ઉખડી જાય છે અને રોડ પર ભૂવો પડી જાય છે.

નહેરૂનગર વિસ્તારમાં પણ પડયો ભૂવો

શહેરના અલગ અલગ માર્ગો પર ભૂવા પડવાનો સિલસિલો અટક્યો નથી. શહેરના અતિવ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા નહેરૂનગર વિસ્તારમાં વધુ એક મહાકાય ભૂવો પડ્યો છે. નહેરૂનગર ચાર રસ્તા પાસે ભૂવો પડ્યા બાદ તંત્ર માત્ર બેરિકેડ મુકીને સંતોષ માની રહ્યુ છે. હાલ તેને પૂરવાનું કોઈ કામ હાથ ધરાયુ નથી. અહીથી અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર હાલાકી વેઠવી પડે છે પરંતુ તંત્રને તેમની સમસ્યાની કંઈ પડી નથી. અહીંના સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે ભૂવાના સમારકામમાં તંત્ર લાલિયાવાડી દાખવી રહ્યુ છે.