Ahmedabad: નારોલમાં પત્નીની હત્યા, પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નારોલમાં ગૃહ કંકાસમાં પતિએ પોતાની પત્નીની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. જોકે પત્નીની હત્યા કર્યા બાદ પતિ સામેથી જ નારોલ પોલીસ મથકમાં હાજર થઈ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.પ્રદીપ અને પ્રજ્ઞાના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા સમગ્ર ઘટનાની જાણકારી મેળવ્યા બાદ નારોલ પોલીસ દ્વારા હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ છેલ્લા 25 દિવસથી નારોલના શાહવાડી વિસ્તારમાં પ્રદીપ વણકર તેમજ તેની પત્ની પ્રજ્ઞા ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. પ્રદીપ અને પ્રજ્ઞાના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા. જોકે બંને વચ્ચે અવારનવાર ઘર કંકાસ અને જમવા બાબતે ઝઘડાઓ થતા હતા. ગણેશચતુર્થીના દિવસે રાતના સમયે જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે પતિ પ્રદીપે પત્નીના દુપટ્ટાથી જ પત્નીને ગળે ટૂંકો દઈ હત્યા નીપજાવી હતી. મૃતક પત્નીની માતાની ફરિયાદના આધારે પોલીસે પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી હત્યારો પતિ પ્રદીપ હત્યા બાદ નારોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં હાજર પોલીસકર્મીને પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જે બાદ મૃતક પત્નીની માતાની ફરિયાદના આધારે પોલીસે પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પત્ની પ્રજ્ઞા વટવા વિસ્તારમાં આવેલી જ્ઞાનશાળામાં નોકરી કરતી હતી તેમજ પતિ પ્રદીપ ખાનગી કંપનીમાં ગાંધીનગર ખાતે નોકરી કરતો હતો. હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી જોકે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા, પરંતુ જે રીતે બે દિવસ પહેલા જમવા બાબતે ઝઘડો થયો હતો. તેમાં ઝઘડો ઉગ્ર બનતા પતિને ગુસ્સો આવતા તેણે પત્નીનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી. હાલ તો નારોલ પોલીસે પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર પત્નીની હત્યા પાછળનું કારણ ઘર કંકાસ અને જમવા બાબતમાં થતા ઝઘડાઓ જ છે કે પછી અન્ય કોઈ કારણથી પત્નીની હત્યા નીપજાવી છે.

Ahmedabad: નારોલમાં પત્નીની હત્યા, પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નારોલમાં ગૃહ કંકાસમાં પતિએ પોતાની પત્નીની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. જોકે પત્નીની હત્યા કર્યા બાદ પતિ સામેથી જ નારોલ પોલીસ મથકમાં હાજર થઈ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.

પ્રદીપ અને પ્રજ્ઞાના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા

સમગ્ર ઘટનાની જાણકારી મેળવ્યા બાદ નારોલ પોલીસ દ્વારા હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ છેલ્લા 25 દિવસથી નારોલના શાહવાડી વિસ્તારમાં પ્રદીપ વણકર તેમજ તેની પત્ની પ્રજ્ઞા ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. પ્રદીપ અને પ્રજ્ઞાના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા. જોકે બંને વચ્ચે અવારનવાર ઘર કંકાસ અને જમવા બાબતે ઝઘડાઓ થતા હતા. ગણેશચતુર્થીના દિવસે રાતના સમયે જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે પતિ પ્રદીપે પત્નીના દુપટ્ટાથી જ પત્નીને ગળે ટૂંકો દઈ હત્યા નીપજાવી હતી.

મૃતક પત્નીની માતાની ફરિયાદના આધારે પોલીસે પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી

હત્યારો પતિ પ્રદીપ હત્યા બાદ નારોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં હાજર પોલીસકર્મીને પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જે બાદ મૃતક પત્નીની માતાની ફરિયાદના આધારે પોલીસે પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પત્ની પ્રજ્ઞા વટવા વિસ્તારમાં આવેલી જ્ઞાનશાળામાં નોકરી કરતી હતી તેમજ પતિ પ્રદીપ ખાનગી કંપનીમાં ગાંધીનગર ખાતે નોકરી કરતો હતો.

હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી

જોકે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા, પરંતુ જે રીતે બે દિવસ પહેલા જમવા બાબતે ઝઘડો થયો હતો. તેમાં ઝઘડો ઉગ્ર બનતા પતિને ગુસ્સો આવતા તેણે પત્નીનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી. હાલ તો નારોલ પોલીસે પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર પત્નીની હત્યા પાછળનું કારણ ઘર કંકાસ અને જમવા બાબતમાં થતા ઝઘડાઓ જ છે કે પછી અન્ય કોઈ કારણથી પત્નીની હત્યા નીપજાવી છે.