Ahmedabad: ડૉ.વૈશાલીના આપઘાતમાં PI ખાચરની સીધી સંડોવણી, જામીન ના મળે: કોર્ટ

ગાયકવાડ હવેલીમાં ડો. વૈશાલી જોષીની આત્મહત્યા કેસમાં પકડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચરે કરેલ રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફ્ગાવી દીધી છે.કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, વૈશાલી જોષીના ઘરેથી મળેલ ચિઠ્ઠીમાં તેના જ અક્ષર હોવાનો એફ્એસએલનો રિપોર્ટ છે, આરોપી સામે ગંભીર આરોપ છે, ઉપરાંત આરોપની ગુનામાં સક્રિય સંડોવણી છે, ત્યારે આવા કેસમાં આરોપીને જામીન મુક્ત કરવો ન્યાયોચિત જણાતુ નથી. ડો.વૈશાલી જોષીના આત્મહત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલ આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચરે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરીને રજૂઆત કરી છે કે, ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે, સમગ્ર પ્રકરણમાં કોઇ જ સંડોવણી નથી, પોલીસ અધિકારી છે અને ક્યાંય નાસી કે ભાગી જાય તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છીએ, આ કેસમાં ફરિયાદ મોડી કરવામાં આવી છે, પરંતુ તેનો કોઇ જ ખુલાસો કરવામાં આવ્યો નથી, કાયમી રહેઠાણ ધરાવે છે, તપાસમાં સહકાર આપ્યો છે ત્યારે કોર્ટે જામીન આપવા જોઇએ. સરકારી વકીલે અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપીએ વૈશાલીને મરી જા સહિતના વાક્યો બોલ્યા હતા, મૃતકના ઘરેથી ચિઠ્ઠી મળી આવી છે જેમાં પણ આરોપીની દુષ્પ્રેરણાના કારણે જ વૈશાલીએ આત્મહત્યા કરી હતી.

Ahmedabad: ડૉ.વૈશાલીના આપઘાતમાં PI ખાચરની સીધી સંડોવણી, જામીન ના મળે: કોર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાયકવાડ હવેલીમાં ડો. વૈશાલી જોષીની આત્મહત્યા કેસમાં પકડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચરે કરેલ રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફ્ગાવી દીધી છે.

કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, વૈશાલી જોષીના ઘરેથી મળેલ ચિઠ્ઠીમાં તેના જ અક્ષર હોવાનો એફ્એસએલનો રિપોર્ટ છે, આરોપી સામે ગંભીર આરોપ છે, ઉપરાંત આરોપની ગુનામાં સક્રિય સંડોવણી છે, ત્યારે આવા કેસમાં આરોપીને જામીન મુક્ત કરવો ન્યાયોચિત જણાતુ નથી. ડો.વૈશાલી જોષીના આત્મહત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલ આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચરે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરીને રજૂઆત કરી છે કે, ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે, સમગ્ર પ્રકરણમાં કોઇ જ સંડોવણી નથી, પોલીસ અધિકારી છે અને ક્યાંય નાસી કે ભાગી જાય તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છીએ, આ કેસમાં ફરિયાદ મોડી કરવામાં આવી છે, પરંતુ તેનો કોઇ જ ખુલાસો કરવામાં આવ્યો નથી, કાયમી રહેઠાણ ધરાવે છે, તપાસમાં સહકાર આપ્યો છે ત્યારે કોર્ટે જામીન આપવા જોઇએ. સરકારી વકીલે અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપીએ વૈશાલીને મરી જા સહિતના વાક્યો બોલ્યા હતા, મૃતકના ઘરેથી ચિઠ્ઠી મળી આવી છે જેમાં પણ આરોપીની દુષ્પ્રેરણાના કારણે જ વૈશાલીએ આત્મહત્યા કરી હતી.