Ahmedabad Rathyatra 2024 : ભકતોએ જગન્નાથ મંદિરમાં લીધો ખીચડાનો પ્રસાદ

ભગવાનને ધરાવાય છે ખીચડાનો પ્રસાદ ભકતોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી વહેલી સવારથી મંદિરની બહાર ભકતોનીની લાંબી લાઈન આજે રથયાત્રાનો પાવન પર્વ છે ત્યારે ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. તેમજ ભગવાનને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે.ભગવાનને આંખો આવી ગઈ હોવાથી ભગવાનની આંખો સાજી થાય તેવા ભાવ સાથે ખીચડાનો ભોગ ધરાવાય છે. ખીચડાના પ્રસાદનું અનોખુ પર્વ આજે રથયાત્રાનો પાવન પર્વ ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. જે લગભગ 1 લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાય છે.ભગવાન જગન્નાથને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે.સરસપુરમાં 14 થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં પૂરી,શાક,ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ તૈયાર થઈ રહી છે.ભક્તોને આવકારવા અને પ્રસાદીની વ્યવસ્થા માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. સરસપુરની લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિર મોકલ્યો પ્રસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિરે રથયાત્રા માટે દિલ્હીથી પ્રસાદ મોકલાવ્યો છે. દિલ્હીથી તેમણે ચોકલેટ, ડ્રાઈફ્રૂટ, ફળફળાદી, મીઠાઇ, મગનો પરંપરાગત પ્રસાદ ભગવાન જગન્નાથને મોકલ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક યાદો રથયાત્રા સાથે જોડાયેલી છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દર વર્ષે રથયાત્રામાં દર્શન કરવા આવતા હતા. મંગળા આરતીનો લાભ લેતા હતા. કેન્દ્રીયગૃહ મંત્રીએ પરિવાર સાથે આરતી કરી અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નિકળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.

Ahmedabad Rathyatra 2024 : ભકતોએ જગન્નાથ મંદિરમાં લીધો ખીચડાનો પ્રસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભગવાનને ધરાવાય છે ખીચડાનો પ્રસાદ
  • ભકતોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી
  • વહેલી સવારથી મંદિરની બહાર ભકતોનીની લાંબી લાઈન

આજે રથયાત્રાનો પાવન પર્વ છે ત્યારે ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. તેમજ ભગવાનને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે.ભગવાનને આંખો આવી ગઈ હોવાથી ભગવાનની આંખો સાજી થાય તેવા ભાવ સાથે ખીચડાનો ભોગ ધરાવાય છે.

ખીચડાના પ્રસાદનું અનોખુ પર્વ

આજે રથયાત્રાનો પાવન પર્વ ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. જે લગભગ 1 લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાય છે.ભગવાન જગન્નાથને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે.સરસપુરમાં 14 થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં પૂરી,શાક,ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ તૈયાર થઈ રહી છે.ભક્તોને આવકારવા અને પ્રસાદીની વ્યવસ્થા માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. સરસપુરની લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિર મોકલ્યો પ્રસાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિરે રથયાત્રા માટે દિલ્હીથી પ્રસાદ મોકલાવ્યો છે. દિલ્હીથી તેમણે ચોકલેટ, ડ્રાઈફ્રૂટ, ફળફળાદી, મીઠાઇ, મગનો પરંપરાગત પ્રસાદ ભગવાન જગન્નાથને મોકલ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક યાદો રથયાત્રા સાથે જોડાયેલી છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દર વર્ષે રથયાત્રામાં દર્શન કરવા આવતા હતા. મંગળા આરતીનો લાભ લેતા હતા.

કેન્દ્રીયગૃહ મંત્રીએ પરિવાર સાથે આરતી કરી

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નિકળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.