Ahmedabad Rathyatra 2024: નગરચર્યા બાદ ભગવાને મંદિરની બહાર રાત વિતાવી,જાણો રોચક વાત

ભગવાન જગન્નાથને ગર્ભગૃહમાં બિરાજમાન કર્યા આરતી બાદ ભગવાનને મંદિરમાં બિરાજમાન કર્યા ભગવાન જગન્નાથે રાતવાસો મંદિર બહાર કર્યો અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિ અને હર્ષોલ્લાસ વાતાવરણમાં સંપન્ન થઇ ગઇ હતી. જે બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઇ બલરામને આખી રાત મંદિરની બહાર રાત વિતાવી પડી હતી. રથયાત્રાના બીજા દિવસે એટલે આજે સવારે ભગવાનની પૂજા આરતી કરીને ભગવાનને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે. રાતવાસોને લઈ રોચક છે કહાની ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરાથી રુક્ષ્મણીજી રિસાયા હતા જેના કારણે તેમને આખી રાત બહાર વિતાવવી પડી હતી. આ પાછળની લોક વાયકા ઘણી જ રોચક છે.રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો રથ પર આખી રાત મંદિરની બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. આ પાછળ એક ચોક્કસ કારણ છે. ભગવાનના પત્ની રુક્ષ્મણીજી તેમનાથી રિસાયા હોવાથી ભગવાન જગન્નાથને મંદિરની બહાર તેમના ભાઈ-બહેનની સાથે રાતવાસો કરવો પડે છે. બીજા દિવસે સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં આરતી બાદ જ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે. નજર ઉતારવામાં આવે છે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઇ અને બહેનને લઇને નગરચર્યા કરવા જાય છે. તેઓ પત્ની રુક્ષ્મણીજીને સાથે નથી લઇ જતા. જેના કારણે પત્ની ભગવાનથી રિસાઇ ગયા હતા અને ત્રણેય ભગવાનને રથયાત્રાની રાતે મંદિરમાં પ્રવેશ આપ્યો ન હતો.નિજ મંદિરમાં રથ પહોંચ્યા બાદ ભગવાનની નજર ઉતારવાનુ કામ સૌથી પહેલા કરવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન નગરચર્યાએ નીકળે એટલે તેમને લોકોની મીઠી નજર લાગતી હોય છે. તેથી તેમનો મંદિર રથ પહોંચે એટલે નજર ઉતારવામાં આવે છે. લોકોએ મંદિર પહોંચી કર્યા દર્શન આજે સવારે ભગવાન રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી જતા હોય છે. કારણ કે, આ ક્ષણ બાદ સીધી આવતી અષાઢી બીજના દિવસે જ તેમને ભગવાન રથમાં બિરાજમાન હોય તેવા દર્શન થશે. તેથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા.

Ahmedabad Rathyatra 2024: નગરચર્યા બાદ ભગવાને મંદિરની બહાર રાત વિતાવી,જાણો રોચક વાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભગવાન જગન્નાથને ગર્ભગૃહમાં બિરાજમાન કર્યા
  • આરતી બાદ ભગવાનને મંદિરમાં બિરાજમાન કર્યા
  • ભગવાન જગન્નાથે રાતવાસો મંદિર બહાર કર્યો

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિ અને હર્ષોલ્લાસ વાતાવરણમાં સંપન્ન થઇ ગઇ હતી. જે બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઇ બલરામને આખી રાત મંદિરની બહાર રાત વિતાવી પડી હતી. રથયાત્રાના બીજા દિવસે એટલે આજે સવારે ભગવાનની પૂજા આરતી કરીને ભગવાનને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે.

રાતવાસોને લઈ રોચક છે કહાની

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરાથી રુક્ષ્મણીજી રિસાયા હતા જેના કારણે તેમને આખી રાત બહાર વિતાવવી પડી હતી. આ પાછળની લોક વાયકા ઘણી જ રોચક છે.રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો રથ પર આખી રાત મંદિરની બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. આ પાછળ એક ચોક્કસ કારણ છે. ભગવાનના પત્ની રુક્ષ્મણીજી તેમનાથી રિસાયા હોવાથી ભગવાન જગન્નાથને મંદિરની બહાર તેમના ભાઈ-બહેનની સાથે રાતવાસો કરવો પડે છે. બીજા દિવસે સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં આરતી બાદ જ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.


નજર ઉતારવામાં આવે છે

રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઇ અને બહેનને લઇને નગરચર્યા કરવા જાય છે. તેઓ પત્ની રુક્ષ્મણીજીને સાથે નથી લઇ જતા. જેના કારણે પત્ની ભગવાનથી રિસાઇ ગયા હતા અને ત્રણેય ભગવાનને રથયાત્રાની રાતે મંદિરમાં પ્રવેશ આપ્યો ન હતો.નિજ મંદિરમાં રથ પહોંચ્યા બાદ ભગવાનની નજર ઉતારવાનુ કામ સૌથી પહેલા કરવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન નગરચર્યાએ નીકળે એટલે તેમને લોકોની મીઠી નજર લાગતી હોય છે. તેથી તેમનો મંદિર રથ પહોંચે એટલે નજર ઉતારવામાં આવે છે.


લોકોએ મંદિર પહોંચી કર્યા દર્શન

આજે સવારે ભગવાન રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી જતા હોય છે. કારણ કે, આ ક્ષણ બાદ સીધી આવતી અષાઢી બીજના દિવસે જ તેમને ભગવાન રથમાં બિરાજમાન હોય તેવા દર્શન થશે. તેથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા.