Ahmedabad Plane Crash: એર ઇન્ડીયાનું પ્લેન ક્રેશ થવા પાછળ આ છે કારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં એરઇન્ડિયાનું બોઇંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. અમદાવાદ માટે 12 જૂન ગુરુવાર એક કાળો દિવસ બની રહ્યો. ગતરોજ બપોરે 1:38ના સમયે અમદાવાદથી લંડન જતું વિમાન ટેક ઓફ થવાની થોડી જ ક્ષણમાં ક્રેશ થતા મોટી દુર્ઘટના બનવા પામી. આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પાયલટ અને ક્રૂ મેમ્બર સહિત 265 લોકોના મોત થયા. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 (બોઇંગ 787-8, VT-ANB) ક્રેશ થવા પાછળ શું કારણ હોઈ શકે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે.
પ્લેન ક્રેશ થવા પાછળના કારણો
પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં મોટાભાગે બર્ડ હિટ, ખરાબ વાતાવરણ અને માનવીય ભૂલ (પાયલોટ) તેમજ ટેકનિકલ કારણોના લીધે થતું હોવાનું આ વિભાગના નિષ્ણાત કહે છે. 12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની ઘટનાને લઈને ચર્ચા થઈ રહી છે કે વાતાવરણ ખરાબ નહોતું અને બર્ડ હીટ થયાનું પણ સામે આવ્યું નથી અને પાયલોટ બંને પાયલટ કેપ્ટન સુમિત સભરવાલને પણ ઉડાનનો બહોળો અનુભવ હતો. ત્યારે એવું મનાઈ રહ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે આ ભયાનક દુર્ઘટના બનવા પામી હોઈ શકે.
ઓપરેશનલ operational error દુર્ઘટનાની સંભાવના
હાલમાં ઓપરેશનલ operational error (કન્ફિગરેશન ભૂલ) ના કારણે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની AI171 (બોઇંગ 787-8, VT-ANB) દુર્ઘટનાગ્રસ્ત થઈ હોવાનું મનાઈ રહ્યું છે. બોઇંગ 787-8 ની ઓછી ઊંચાઈ (825 ફૂટ), ઓછી ગતિ (174 નોટ્સ) અને ગિયર ડાઉન હોવાને કારણે, ટેકઓફ દરમિયાન એરક્રાફ્ટ સેટિંગ્સમાં મોટી ભૂલ થઈ હોવાની શક્યતા છે
શું છે ઓપરેશનલ એરેર એટલે કે (કન્ફિગરેશન ભૂલ)
ટેકઓફ સમયે ગોઠવણી ભૂલ એ વિમાનની સેટિંગ્સમાં ભૂલ છે જે તેને યોગ્ય રીતે ઉડાન ભરતા અટકાવે છે. આમાં ફ્લૅપ્સની ખોટી સેટિંગ્સ, ઓછો થ્રસ્ટ, અકાળ ટેકઓફ (રોટેશન), અથવા લેન્ડિંગ ગિયર વધારવામાં નિષ્ફળતાનો સમાવેશ થાય છે. આ બધી બાબતો વિમાનની ટેકઓફ કરવાની અને ઊંચાઈ પકડી રાખવાની ક્ષમતાને અસર કરે છે, જેના કારણે વિમાન અટકી શકે છે અથવા નિયંત્રણ ગુમાવી શકે છે.
What's Your Reaction?






