Ahmedabad Plane Crashમાં 4 વિદ્યાર્થી તબીબના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 4 વિદ્યાર્થી તબીબના મોત થયા હોવાની વાત સામે આવી છે, ઘટના સમયે મેસમાં જમી રહ્યા હતા તબીબ અને પ્લેન દુર્ઘટના થઈ હતી, સમગ્ર ઘટનામાં 20 તબીબ થયા હતા ઇજાગ્રસ્ત અને 11 વિદ્યાર્થી તબીબ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, સુપર સ્પે.વિભાગના ડોક્ટરના પત્ની ઈજાગ્રસ્ત થયા છે અને તબીબના પત્નીની તબીયત હાલ સુધારા પર છે.
પ્લેન દુર્ઘટનામાં ચાર વિદ્યાર્થી તબીબના મોત
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 274 મૃતદેહો પૈકી 266 મૃતદેહ એવા છે જેની ઓળખ થઈ શકી નથી, માત્ર આઠ મૃતદેહની ઓળખ થઈ છે, જે કિસ્સામાં મૃતકની ઓળખ થઈ હોય તેમાં વિધિવત્ રીતે મૃતદેહ આપવાની પ્રક્રિયા કરવામાં આવી છે. એટલું જ નહિ પરંતુ દિવસ દરમિયાન એક પછી એક એમ્બ્યુલન્સ મારફત મૃતદેહો જૂના ટ્રોમા સેન્ટરથી 1200 બેડ હોસ્પિટલ પાસેના નવા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલ ખાતે બીજા દિવસે પણ ડીએનએ સેમ્પલ લેવાની કવાયત્ ચાલી હતી
સૂત્રો કહે છે કે, સિવિલ તંત્ર પાસે માંડ 36 મૃતદેહ સાચવી શકાય તેટલી કેપેસિટી છે, આ સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે, કઈ રીતે મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજ રૂમમાં ઠાંસીને ભર્યા હશે. જો નવી વ્યવસ્થા કરાઈ હોય તો તે વિશે તંત્ર બોલવા જરાયે તૈયાર નથી. આ વિગતો જાણવા હોસ્પિટલ તંત્રનો પ્રયાસ કરાયો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલ તંત્ર સતત માહિતી છુપાવવા પ્રયાસ કરી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે બીજા દિવસે પણ ડીએનએ સેમ્પલ લેવાની કવાયત્ ચાલી હતી.
What's Your Reaction?






