Ahmedabad: રથયાત્રા દરમિયાન જર્જરિત મકાનોની દુર્ઘટના સર્જાશે તો અધિકારીની જવાબદારી નક્કી થશે

Jun 11, 2025 - 22:30
Ahmedabad: રથયાત્રા દરમિયાન જર્જરિત મકાનોની દુર્ઘટના સર્જાશે તો અધિકારીની જવાબદારી નક્કી થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમા આગામી સમયમાં યોજાનારી રથયાત્રાને લઈને મ્યુનિસિપલ કમિશ્નરે અધિકારીઓને સૂચનાઓ આપી છે. મ્યુનિસિપલ કમિશ્નરે રથયાત્રા રૂટ ઉપર આવતા જર્જરીત મકાનો પર કાર્યવાહી કરવા સૂચના આપી હતી. AMCમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આગામી ચોમાસાની તૈયારીઓને લઈને અધિકારીઓ પાસે રોડ પર પાણી ભરાવાની શક્યતા ધરાવતા સ્થળો,ખાડાના સ્પોટ, CCTVથી ડીસિલ્ટિંગની કામગીરી, કેચપીટોની સફાઈ વગેરેનો ડેટા માંગ્યો હતો.

AMC અધિકારીની જવાબદારી નક્કી કરાશે

મ્યુનિસિપલ કમિશનરે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ચર્ચાઓ કરી હતી. જેમાં રથયાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે રૂટ પર જર્જરીત મકાનોને નોટિસ આપવાની કાર્યવાહી અને તમામ ભયજનક મકાનોના પાણી, ગટર અને ટોરેન્ટ પાવરની મદદથી વીજળીના જોડાણો કાપવા સૂચના આપી હતી.રથયાત્રા દરમિયાન મકાન દુર્ઘટના સર્જાશે તો તે અંગે AMC અધિકારીની જવાબદારી નક્કી કરાશે.

એક્વીફાયરને ધ્યાનમાં લઈને પરકોલેટિંગ વેલ બનાવવા તાકિદ

મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં અત્યાર સુધીમાં કેટલી કેચપીટોની સફાઈ થઈ તે અંગે પૂછતાં એડિશનલ ઈજનેરો પાસે તેનો કોઈ જવાબ નહોતો. અધિકારીઓને સટીક કામગીરી કરવા કડક સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં પરકોલેટિંગ વેલ અંગેની ફાઈલોની એક જ સ્થળેથી કામગીરી થાય તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. શહેરમાં એક્વીફાયરને ધ્યાનમાં લઈને પરકોલેટિંગ વેલ બનાવવા તેમણે તાકીદ કરી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0