Ahmedabad: ચાણક્યપૂરીમાં અસામાજિક તત્વોના આતંક મામલે હર્ષ સંઘવીનું અગત્યનું નિવેદન

અમદાવાદના ચાણક્યપૂરીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી. રાજ્યમાં જે કોઈ પણ કાયદો તોડે છે તેની સાથે શું વ્યવહાર કરવો તે પોલીસ જાણે છે.'દાદાના રાજમાં દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહિ' વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, જે કોઈ વ્યક્તિ કાયદો તોડશે તેને નુકશાન ભોગવવું પડશે. દાદાના રાજમાં કોઇની પણ દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે. સાથે જ કહ્યું કે, જે વ્યક્તિ કાયદો તોડશે તેને સાત જન્મ સુધી યાદ રહે તેવી કાર્યવાહી કરવામાં આવશે. 20થી 25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો અમદાવાદના ચાણક્યપૂરીમાં મોડી રાત્રે શિવમ આર્કેડમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ખુલ્લેઆમ 20થી 25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો. નોંધનીય છે કે, તે ઘટનાને લઇ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તલવાર અને ઘાતક હથિયારો વડે તોડફોડ કરી હતી. જેથી આ સમગ્ર મામલે ફ્લેટના ચેરમેને પોલીસ ફરીયાદ નોંધાવી છે. 11 જેટલા ઇસમો સામે હત્યાના પ્રયાસો સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાયબર કમાન્ડો તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમા ભારતની સાયબર સુરક્ષાને વધારવા માટે સાયબર કમાન્ડો તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ સાયબર કમાન્ડો તાલીમ કાર્યક્રમ 1 ઓક્ટોબરથી છ મહિના સુધી ચાલશે. જેનો હેતુ સાયબર કમાન્ડોને સાયબર જોખમોનો સામે રાજ્યના સંરક્ષક પોલીસ દળને સજ્જ કરવાનો છે. ત્યારે આ સાયબર કમાન્ડો તાલીમ કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી 30 પોલીસ અધિકારીઓની ભાગ લેશે.

Ahmedabad: ચાણક્યપૂરીમાં અસામાજિક તત્વોના આતંક મામલે હર્ષ સંઘવીનું અગત્યનું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ચાણક્યપૂરીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી. રાજ્યમાં જે કોઈ પણ કાયદો તોડે છે તેની સાથે શું વ્યવહાર કરવો તે પોલીસ જાણે છે.

'દાદાના રાજમાં દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહિ'

વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, જે કોઈ વ્યક્તિ કાયદો તોડશે તેને નુકશાન ભોગવવું પડશે. દાદાના રાજમાં કોઇની પણ દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે. સાથે જ કહ્યું કે, જે વ્યક્તિ કાયદો તોડશે તેને સાત જન્મ સુધી યાદ રહે તેવી કાર્યવાહી કરવામાં આવશે.

20થી 25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો

અમદાવાદના ચાણક્યપૂરીમાં મોડી રાત્રે શિવમ આર્કેડમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ખુલ્લેઆમ 20થી 25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો. નોંધનીય છે કે, તે ઘટનાને લઇ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તલવાર અને ઘાતક હથિયારો વડે તોડફોડ કરી હતી. જેથી આ સમગ્ર મામલે ફ્લેટના ચેરમેને પોલીસ ફરીયાદ નોંધાવી છે. 11 જેટલા ઇસમો સામે હત્યાના પ્રયાસો સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાયબર કમાન્ડો તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમા ભારતની સાયબર સુરક્ષાને વધારવા માટે સાયબર કમાન્ડો તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ સાયબર કમાન્ડો તાલીમ કાર્યક્રમ 1 ઓક્ટોબરથી છ મહિના સુધી ચાલશે. જેનો હેતુ સાયબર કમાન્ડોને સાયબર જોખમોનો સામે રાજ્યના સંરક્ષક પોલીસ દળને સજ્જ કરવાનો છે. ત્યારે આ સાયબર કમાન્ડો તાલીમ કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી 30 પોલીસ અધિકારીઓની ભાગ લેશે.