Ahmedabad: ચાંદખેડામાં વ્યાજખોરોનો આતંક, મ્યુઝિક પ્રોડ્યુસર પાસેથી કરોડોની વસૂલાત

Sep 30, 2025 - 21:00
Ahmedabad: ચાંદખેડામાં વ્યાજખોરોનો આતંક, મ્યુઝિક પ્રોડ્યુસર પાસેથી કરોડોની વસૂલાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વ્યાજખોરોએ એક મ્યુઝિક પ્રોડ્યુસર પાસેથી મૂળ રકમ કરતાં અનેક ગણા વધારે રૂપિયા પડાવી લીધા હોવા છતાં, તેમનું મકાન પણ લખાવી લીધું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ચાંદખેડા વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક

ચાંદખેડા વિસ્તારમાં રહેતા મિતેષ બારોટ (મ્યુઝિક પ્રોડ્યુસર)એ વર્ષ 2020 દરમિયાન પોતાની 'DMV' કંપની શરૂ કરવા માટે કેટલાક વ્યાજખોરો પાસેથી 10 ટકાના વ્યાજે ₹5 લાખ રૂપિયા લીધા હતા. આ ₹5 લાખની સામે તેમણે વ્યાજ સહિત લાખો રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, વ્યાજખોરો સતત ₹50 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. આ વ્યાજખોરીમાંથી બહાર નીકળવા માટે મિતેષ બારોટે અન્ય વ્યાજખોરો પાસેથી બીજા ₹61 લાખ રૂપિયા લીધા હતા. જોકે, આ રકમની સામે વ્યાજખોરોએ તેમની પાસેથી ₹1 કરોડ 65 લાખ રૂપિયા વસૂલી લીધા હતા! આટલી મોટી રકમ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરોએ મિતેષ બારોટનું મકાન પણ લખાવી લીધું હતું.

આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી

આખરે, વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મિતેષ બારોટ પોલીસના શરણે ગયા હતા અને આ મામલે ફરિયાદ નોંધાવી છે. હાલ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કુલ છ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં અનુજ ઉર્ફે કરણ દેસાઈ, વિશાલ દેસાઈ, જીગર દેસાઈ, નિખિલ રબારી, ભાવેશ દેસાઇ અને ઈશ્વર ઉર્ફે ઈશુ દેસાઈનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0