Ahmedabad: ગુલાબજાંબુમાંથી નીકળ્યો વંદો, આરોગ્ય વિભાગમાં દોડધામ

Jun 6, 2025 - 17:00
Ahmedabad: ગુલાબજાંબુમાંથી નીકળ્યો વંદો, આરોગ્ય વિભાગમાં દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ખાદ્યપદાર્થ પર વારંવાર સવાલો ઉઠવા છતાં પણ રેસ્ટોરન્ટની વારંવાર બેદરકારી સામે આવતી રહે છે. થોડા સમય પહેલા કેરીના રસમાંથી વંદો નિકળ્યો હતો ત્યારે ફરી એકવાર અમદાવાદમાં ગુલાબજાંબુમાંથી વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. સીજી રોડ પર ઓકટન્ટ પિત્ઝા શોપનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના આધારે AMC આરોગ્ય વિભાગની તપાસ છે.

ગુલાબજાંબુમાંથી વંદો નીકળ્યો

અમદાવાદના સીજી રોડ ઉપર આવેલ પિત્ઝા શોપમાં ગુલાબજાંબુમાં વંદો નિકળ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ઓકટન્ટ પિત્ઝા શોપનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલો કઈ તારીખે, કોણ ભોગ બન્યું તે મામલે હાલ સુધી સ્પષ્ટતા થઈ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ ફરિયાદના આધારે એકમ સીલ મારવામાં આવ્યું છે. તપાસ કરતા ગુલાબજાંબુ જેવા ખાદ્ય પદાર્થ ન મળ્યા હોવાનો અધિકારીનો દાવો હતો.

વારંવાર ખાદ્યપદાર્થમાંથી નિકળ્યા વંદા

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓમાંથી ક્યારેક મૃત ગરોળી તો ક્યારેક જીવાત કે વંદોઓ નીકળે છે. આવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે લોકોના જીવન સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે, થોડા દિવસો પહેલા અમદાવાદમાં ગ્વાલિયા સ્વીટ્સના છોલે-ભટૂરેમાંથી 2 વંદા નીકળવાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ જામનગરમાં કેરીના રસમાંથી વંદ નીકળ્યો હતો. શહેરની ન્યુ ચેતના રેસ્ટોરન્ટમાંથી મગાવેલા રસમાંથી વંદો નીકળ્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0